SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક-૧ લુ બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે બત્રીસબદ્ધ નાટકમાં બત્રીસમું નાટક ભગવાન મહાવીર મહારાજના આખા ચરિત્રને ઉપનય કરનારૂં થવાનું છે અને તે ભગવંત મહાવીરમહારાજના કેવલજ્ઞાનના વિષયથી બહાર નથી, છતાં તેવું ગૌતમસ્વામીજી આગળ થાય તે ભગવાન ગૌતમ સ્વામીજી આદિને અત્યંત નિર્જરાનું કારણ બનવા સાથે તે ચરિત્રના અભિનયરૂપે નાટક કરનાર સૂર્યાભદેવતાને શ્રમણ-ભગવતેની ભક્તિ થાય એ કેઈપણ પ્રકારે અનુચિત નથી અને તેથી શ્રમણ ભગવંત મહાવીર મહારાજે તે નાટક દેખાડવાને અને ભક્તિને એક અંશે પણ નિષેધ કર્યો નથી. આવી રીતે જ્યારે ગૌતમાદિ શ્રમણ ભગવંતને ભક્તિપૂર્વક નાટક દેખાડવાની જે વિજ્ઞપ્તિને જે ભગવાન મહાવીર મહારાજ નિષેધ કરે તે વ્યક્તિને અંતરાય થાય અને વિધાન કરે તે શ્રમણભગવાને નાટક દેખવાની પરવાનગી આપી કહેવાય. એટલા માટે શ્રમણ ભગવાન મહાવીર-મહારાજાને સૂર્યાભદેવતાએ એવી રીતે વિપ્તિ કરી, છતાં સૂર્યદેવતાની તે વાતને પિતે આદરપણ ન કર્યો, તેમ નિષેધ પણ ન કર્યો. ધ્યાન રાખવું કે બહુલતાએ પરિ ઉપસર્ગ પૂર્વકના જ્ઞા ધાતુને પરિજ્ઞા શબ્દ બનાવવામાં આવે છે અને તેથી અહીં જે ઘરનાર એ વાકયને નિષેધ ન કયે એ અર્થ પણ વાસ્તવિક છે અનુમતિ ન દીધી એ અર્થ કરવામાં પણ અડચણ નથી. આદર અગર નિષેધ ન કર્યો, એટલા માત્રથી મૌનપણું આવી જતું હતું, છતાં આ દ્રવ્યસ્તવ હોવાથી નિષેધ્યું નથી કે આદરવાનું કહ્યું નથી, એ જણાવવા માટે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે મૌનપણે રહ્યા, ત્યારે સૂર્યાભદેવતાએ બીજી વખત પણ એમ કહ્યું કે આપ બધું જાણે છે વગેરે અને શ્રી ગૌતમવામીજી વિગેરેને ભક્તિપૂર્વક હું નાટક દેખાડું.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy