________________
આગમત તાત્વિક સમીક્ષા તે આપણે કરી હોય એ સંભવ નથી એમ કહેવામાં ભાગ્યે જ ભૂલ થતી ગણાય.
આપણે શું એટલી ખાતરી દાનધર્મને માટે રાખીએ છીએ કે કિરણ વિનાના સૂર્યની જે દશા ગણી શકીયે તે દશા દાન વિનાના શાસન કે ધર્મસૂર્યની છે કે ગણાય? જે શાસન સૂર્યને માટે દાનધર્મ મૂલરૂપે સહસ્ત્રકિરણને સ્થાને છે, એમ ગણી શકીએ તો તે સુપાત્રદાનની પ્રવૃત્તિ, વૃદ્ધિ અને અતિશયિતા તરફ આપણું કેવું લક્ષ્ય હેવું જોઈએ તે સહેજે સમજાશે.
અને જ્યારે સુપાત્રની તે સ્થિતિ સમજાશે ત્યારે જ શીલ, તપ અને ભાવ એ ત્રણ ભેદો જરૂરી છતાં શિક્ષાત્રત તરીકે અને તેમાં પણ છેવટે વ્રતના છેડા તરીકે હેઈ કલશ તરીકે સુપાત્રદાનને કેમ સ્થાન મળ્યું છે? તે સમજવાની સુગમતા થશે.
વળી એ બીન ઉપર પણ ખાસ ધ્યાન આપવા જેવું છે કે અન્ય સર્વવતેમાં તે તે વૃત્તિપાલનને જ ઉપદેશ અને તે પાલનને અંગે જ ફલ આવે છે, જ્યારે આ દાનને અંગે તે જાહેર થયેલ અને આચરાતા વ્રતને અંગે તે દાન દેવાનું ન મળે તે પણ તેનું ફલ લેવા માટે વિચારની શ્રેણી ગોઠવવા નિર્દેશ કરે છે અને તેવી ગોઠવણીથી વિચારમાત્રથી પણ વ્રત પાલન થઈ ગયું, એમ વ્રતધારીએ માની લેવું છે એમ શાસ્ત્રકાર જણાવે છે અને આપણે માનીએ છીએ. અર્થાત્ ભાવનામાત્રથી હજાર કિરણેનું જોડાવું માનવું એ દાનધર્મને જ વરે છે.
આ હકીકતને બરોબર વિચારવાથી સમજાશે કે બીજાં બધાં વતે કરતાં આ દાનનું જ વ્રત એવું છે કે કે જેને ન પાલનારો અર્થાત્ દાનને ન દેનારે હોય છતાં માત્ર થતા વ્રતનું એટલે કરાતા દાનનું અનુમોદન કરવાથી પણ અનેક ભવ્યાત્માઓએ ફલ મેળવ્યાં છે અને એ હકીકત સૂત્ર, સિદ્ધાન્ત, પંચાંગી અને ગ્રંથી સેંકડે સ્થાને સિદ્ધ થયેલી છે.