________________
આગામત
- ઉ. સુધા આદિ પરિષહના સહન કરવામાં અમાસુક-સચિત્ત કે અનેકણીયાદિ અકથ્ય પદાર્થોના ત્યાગ કરવા રૂપે આશ્રવને રોધ રહેલ છે, માટે પરિવહને સંવરમાં ગણ્યા છે, તેમ છતાં ક્ષુધા વગેરેને સહન કરવારૂપે ઉદયમાં આવેલ અસાતા વેદનીય અદિકર્મોની સમભાવે નિર્જરા પણ ગણી શકાય, આ પ્રમાણે બુદ્ધિમાન પુરુષોએ વિચારવું.
જે જે તપને ભેદ છે, તે નિર્જ રારૂપ કહેવાય જ ! “સંવરનું ફળ તપનું બળ છે” અને “તપથી નિર્જરા થાય છે” આ પ્રમાણે પૂ. દશ પૂર્વધર વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજનાં વચને આ વાતના સમર્થનમાં વિચારવાં.
प्र. १००-ननु चतुर्विधाऽपि बुद्धिः किमित्यभिप्राय इत्युच्यते, येनाभिप्रायसिद्धे चतुर्विधा बुद्धिः सोदाहरणामिधीयते इति ।
उ. तस्या अश्रुतनिश्नितत्वादभिप्रायमात्ररुपता, यतः किञ्चाभिप्रायचातुर्विध्यादेव बुद्धेश्वातुर्विध्यमिति कथ्यतेऽभिप्रायशब्देन सा ॥
પ્ર. ૧૦૦ ચાર પ્રકારની બુદ્ધિને ‘મિકાય કેમ કહેવાય છે? કેમકે સિદ્ધ પદના નિક્ષેપામાં ચાર પ્રકારની બુદ્ધિ ઉદાહરણ સાથે જણાવાય છે.
ઉ. આ પ્રકારની બુદ્ધિ અશ્રુતનિશ્રિત–શાસ્ત્રના અભ્યાસાદિથી ઉપજેલ ન હોઈ ચારે બુદ્ધિને અભિપ્રાય રૂપે ગણેલ છે.
વળી અભિપ્રાય-માનસિક વિશિષ્ટ વિચાર રૂપે બુદ્ધિના ચાર ભેદ સંગત રીતે ઘટે છે તેથી અમિજાજ’ શબ્દથી ચાર બુદ્ધિને કહેલ છે.
प्र. १०१-ननु पारिणामिक्याः बुद्धेवयःपरिपाकजन्यत्वमुच्यते, श्रीवास्वाम्यादयश्च तत्रोंदाहियमाणा न तद्वन्त इति कथमिति ।
उ. परिणामशब्देन तत्र वयसो मनसश्च परिपाको ग्राह्य इति सुस्थिता ॥
પ્ર. ૧૦૧ પરિણામિક બુદ્ધિ વયના પરિપાકથી થાય છે. એમ કહેવાય છે તેમાં ઉદાહરણ તરીકે શ્રી વર્ઝામિની . આદિનાં