SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ श्री वर्धमान-स्वामिने नमः પ્રકાશકીય નમ્ર નિવેદન - - - - - - - - - મહામંગળકારી શ્રી જિનશાસનની પરમકૃપા અને તારક શ્રી દેવગણના પ્રતાપે વીશમી સદીના મહાન આગમતિર્ધર, બહુકૃત, આચાર્ય-ધુરંધર પૂ. આગદ્ધારક આચાર્ય ભગવંતશ્રીના તારિવક-આગમિક વ્યાખ્યાનેના સંકલનરૂપે વિ.સં. ૨૦૨૨ થી પૂ. સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીના મંગળ આર્શીવાદથી શરૂ થયેલ “શ્રી આગમત”નું વાર્ષિક પ્રકાશન આજે અગિયારમાં વર્ષમાં પગલાં માંડે છે, તે અમારે મન ખુબ આનંદની વાત છે. અમારી શક્તિ-સીમા બહારનું ભગીરથ આ કાર્ય સ્વ. પૂ. ગચ્છધિપતિશ્રીના આશીર્વાદ તથા સાગર સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપદેશ, પ્રેરણા તેમજ તત્વરૂચિવાળા જૈન શ્રીસ તેમ જ ધર્મપ્રેમી મુણાનુરાગી-ગૃહસ્થના મંગળ સહકારથી આ કાર્ય સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. અમારી પ્રથમાળાના વિવિધ પ્રકાશમાં આ પ્રકાશન ગુજરાતી ભાષામાં આગેમિક-પદાર્થોની રજુઆત અધિકારી-કો સમક્ષ કરનાર સુરૂચિકર શિથિી સંપાદિત થઈ પ્રકટ થાય છે, તે સૌથી વધુ મહત્વનું અમે લેખીએ છીએ. પ્રસ્તુત પ્રકાશનમાં પરોક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુમોદના કરવા સાથે વિશેષમાં જણાવવાનું કે-આ પ્રકાશનના આર્થિક ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા ખંતભર્યો શ્રમ ઉઠાવનાર પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ.શ્રીના ધર્મપ્રેમની બહુમાનભરી અનુદના. વળી પ્રસ્તુત પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગસંપૂર્ણ બનાવવા પ્રયત્નશીલ પ. પૂ. પરમતપસ્વી, શાસનસંરક્ષક, ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીને અત્યંત ભાવભરી વંદનાંજલિ.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy