SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આગમત સમાધાન-દરેક ક્ષે જવાવાળા ભવ્ય જીને તથાભવ્યત્વ અનાદિપારિણુમિક ભાવ રૂપ છે, અને તેથી તે સ્વાભાવિક છે, છતાં લલિત-વિસ્તરામાં ‘સહજ’ એવું જે વિશેષણ તથાભવ્યત્વને આપવામાં આવ્યું છે, તે કાંઈ તથાભવ્યત્વના એવા બે પ્રકાર જણાવવાને માટે આપવામાં આવ્યું નથી કે કેઈક તથાભવ્યત્વ સહજ એટલે સ્વાભાવિક હોઈ અનાદિ કાળનું હોય, અને કેઈક તથાભવ્યત્વ સહજ ન હોય એટલે અનાદિકાળનું ન હોય પરંતુ કૃત્રિમ હેય, આવી રીતે તથાભવ્યત્વ કે ભવ્યત્વના બે ભેદે જણાવવા માટે ત્યાં લલિત-વિસ્તરામાં સન્ન એવું વિશેષણ તથાભવ્યત્વને આપવામાં આવેલું નથી, પરંતુ ભગવાન તીર્થકર મહારાજના જીવમાં તથાભવ્યત્વ એટલે તીર્થકર થવાની લાયકાતવાળું ભવ્યત્વ અનાદિકાળનું હોય છે, પરંતુ કેઈક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંગે થવાવાળું ભગવાન તીર્થકરમાં ભવ્યત્વ નથી એવું જણાવવા માટે જ ત્યાં લલિતવિસ્તરામાં તથાભવ્યત્વને ‘સહજ’ એવું વિશેષણ આપવામાં આવ્યું છે. ૧૧ પ્રશ્ન-જ્યારે ભવ્યત્વ તથા સામાન્ય મેક્ષે જનારા જેને તથાભવ્યત્વ અને તીર્થંકર પદવી પ્રાપ્ત કરીને મેક્ષે જનારા ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના જનું તથાભવ્યત્વ એ ત્રણે જ્યારે અનાદિના પારણુમિક ભાવ રૂપ છે અને સત્ત એટલે સ્વાભાવિક જ છે, તે પછી ભગવાન તીર્થકરના તથાભવ્યત્વને એવું વિશેષણ લગાડવાની જરૂર શી? સમાધાન-કઈ પણ સુજ્ઞ મનુષ્ય શાસ્ત્રના પદોને અર્થ કરે ત્યારે ... તે પિતાની સુજ્ઞતાને અંગે પહેલ વહેલે જ પ્રકરણને વિચાર કરે.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy