________________
૬૩
પુસ્તક ૧-લું
- - ૭ -- ૦૪ & તીર્થયાત્રાનું મહત્ત્વ કેમ?
as (હÉ
તારે તે તીર્થ! જેનાથી તરાય તે તીર્થ!
ડૂબતાં બચાવે તે તીર્થ!.
ઉપરની વ્યાખ્યાઓ હકીકતમાં શાસ્ત્રસિદ્ધ અને અનુભવસિદ્ધ છે. પણ એ સમજવું જરૂરી છે કે – આપણે શેમાં ડુબેલા છીએ ! કે ડુબી રહ્યા છીએ? સંસાર રૂપી સમુદ્રના વિષય-કષાય કે આરંભ-સમારંભ રૂપ ભયંકર અગાધ જળપ્રવાહમાં આપણે = આપણી વૃત્તિઓ ડુબી રહેલ છે.
જેના આલંબનથી આપણે = આપણી વૃત્તિઓ વિષય-કષાય કે આરંભ સમારંભથી પાછી ફરે તે તીર્થ કહેવાય.
આવા તીર્થ બે જાતનાં-સ્થાવર અને જગમ
સ્થાવર તીર્થો = જ્યાં વિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર આદિની સામગ્રીના આધારે રાગાદિ-દોષોને દૂર કરવાનું અપૂર્વ સામર્થ્ય મળે તેવી શક્તિશાળી વિશિષ્ટ ભૂમિઓ –
બાળજને અનાદિકાલીન સંસ્કારના વ્યાહભર્યા વાતાવરણથી અળગા કરી વિશિષ્ટ ક્ષેત્રોમાં સુંદર જિનાલય, આલ્હાદક મૂતિઓ, શાન્ત-નિર્વિકારી વાતાવરણ આદિ દ્વારા વીતરાગ પ્રભુ નિર્દિષ્ટ આત્મશુદ્ધિના સફળ રાજમાર્ગને અપનાવવા માટેની સંપૂર્ણ અનુકૂળતાવાળા ક્ષેત્રો તીર્થભૂમિ તરીકે કહેવાય.