SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પર પુસ્તક ૧-લું શું તેઓ તસ્વીર બેલનારી છે, એમ માની શકે છે? અથવા શું ઢંઢકભાઈએ પિતાના સાધુઓ મરી જાય છે, ત્યારે 'મડદાના પૂજારી બનીને તે સાધુના મડદાને જે મહત્સવ કરે છે તે મડદું શું ચેતનાવાળું છે ખરું? અથવા શું તે મડદું બોલે છે ખરું? મૂર્તિની આરાધના શાથી? આ તત્વદ્રષ્ટિએ વિચારનાર મનુષ્ય તે સ્પષ્ટપણે સમજી શકશે કે જે મહાપુરૂષની પ્રતિમાઓ હોય છે, તે મહાપુરૂષના જ્ઞાન અને ઉપદેશને અંગે જ આરાધના કરાય છે. ' ધ્યાનમાં રાખવું કે–જગતમાં માતા એક જ વખત જન્મ આપે છે, ઘડીએ ઘડીએ ને જન્મ આપતી નથી, તે પણ સત્યરૂષ તે નવા નવા જન્મને નહિ આપતી એવી પણ માતાને એક વખત માત્ર જન્મ આપે તેથી યાવજીવન તીર્થની માફક આરાધના કરે છે, તે જે જિનેશ્વર મહારાજાઓએ અખંડધારાએ વર્ષો સુધી કે પૂ સુધી ઉપદેશ આપી જગતને ઉધ્ધાર કર્યો છે, તે જિનેશ્વર મહારાજાઓ જે ઉપદેશ ન આપે તે વખતમાં પણ યાવત્ વિહાર કરતા હોય તે વખતમાં પણ સમ્યગૃષ્ટિઓને આરાધવા લાયક હોય. તે પછી જે બોલે તે આરાધવા લાયક છે, અને જે ન બોલે તે આરાધવા લાયક નથી, એમ કહેનારાએ પિતાની અક્કલને સર્વથા ઉપયોગ કર્યો નથી, એમ માનવું જોઈએ. ઢંઢકભાઈએ વિચારવાનું છે કે-તમારા માનેલા પરમેશ્વર અનાર્યસમાજ આદિની માફક શરીર વગરના તે નથી, એ ચોક્કસ છે, તે પછી જે વખતે ભગવાન જિનેશ્વર મહારાજની હયાતી હોય ત્યારે તેઓ ભગવાન જિનેશ્વર મહારાજને વંદન કરશે તે શી રીતે કરશે? શું ભગવાન જિનેશ્વર મહારાજના આત્માને દેખે તે જ તેઓશ્રીને વન્દન કરે? શું તેઓ જિનેશ્વર મહારાજના આત્માને વંદન કરે છે?
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy