SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પુસ્તક ૧-લું આ કારણથી પૂ. આ. ભગવાન્ શય્યભવસૂરિજીએ ગુવાજીવના જ્ઞાનના ફલને નિરૂપણ કરનારી કંડિકા જણાવતાં જીવા9વજ્ઞાનનું મધ્ય પર્યવસાન સંયમ સ્વીકારમાંજ જણાવ્યું છે, અને ઝવાદિક નવતત્વના જ્ઞાનમાં પણ આશ્રવની હેયતા જણાવવા સાથે સંવરની ઉપાદેયતાજ જણાવવામાં આવી છે. મેક્ષની મુષ્ટિ તરીકે જે કઈપણ જ્ઞાન જણાવવામાં આવ્યું હોય તે આશ્રવનું સર્વથા છેડવાલાયકપણું અને સંવરનું સર્વથા આદરવાલાયકપણુંજ છે. ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની આજ્ઞાનું અવિચલપણું જે કોઈપણું જગો પર હોય તે તે આશ્રવના છોડવાલાયકપણામાં અને સંવરના આદરવાલાયકપણુમાં જ છે. | આ બધી હકીકતની સાથે શાસ્ત્રકારે ચકખા શબ્દોમાં ફરમાવે છે કે સમ્યક્ત્વ અને દેશ-વિરતિ તેઓનેજ હોય કે જેઓ સર્વવિરતિધર્મની ઉત્તમતા સ્વીકારવા સાથે તેને મેળવવાની ધારણુવાળા હોય છે. દરેક શ્રાવકે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની પૂજા કરવી તે તે શ્રાવકેના વકર્મમાં પ્રથમકર્મ તરીકે છે, પરંતુ તે પ્રથમકર્મ તેઓને હોય કે જેઓ સર્વવિરતિના અભિલાષી હોય અને સર્વવિરતિની પ્રાપ્તિ કરાવનાર તરીકે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની પૂજાને આચરતા હોય. આવી સ્પષ્ટ ધારણ કર્યા સિવાય જે કઈ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની પૂજા કરે તે પૂ. આ. હરિભદ્રસૂરિજી મહારાજ વગેરે પંચાશકાદિ શાસ્ત્રો દ્વારા જાહેર કરે છે કે તેની પૂજા કારણરૂપ દ્રવ્યપૂજા નથી, પરંતુ લૌકિક હોઈને અપ્રધાનરૂપ દ્રવ્યપૂજા છે. આ બધા ઉપરથી એ વાત સ્પષ્ટ થઈ કે શ્રાવકપણું ધરાવનાર, સમ્યકત્વવાળ થવા માગનાર, દેશવિરતિમાન થવા ઈચ્છનાર અને
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy