SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક-8 કહેલાં છે, અર્થાત્ તેઓનાં શાસ્ત્રોમાં જિનેશ્વર ભગવાનનાં વચનને થડે કે ઘણે ભાગ છે જ નહિ. એટલે ચેકનું થયું કે-દિગમ્બરે પિતાને આચાર્ય મતીય કહેવડાવી શકે, અને તે સજજન પુરૂષો માન્ય પણ કરી શકે. પણ જિનેશ્વર મહારાજના વચનને માન્યા સિવાય તેઓ પિતાને જૈન તરીકે તે કોઈ દિવસ પણ કહેવડાવી શકે નહિ. યાદ રાખવું જરૂરી છે કે વ્યાકરણકારે સામાન્ય રીતે જે મતવાળે જે દેવતાને માને તે મતવાળાને તે દેવતાના નામથી ઓળખાવવાનું કહે છે. જેમિનીય, નિરીશ્વર સાંખ્ય, નાસ્તિક વગેરે મતવાળા દેવને માનનારા નથી છતાં પણ તે તે પ્રકારનાં શાસ્ત્રો અને ધર્મો માનવાથી તેઓનાં તે તે નામે જગતમાં જાહેર થયેલાં છે, અને હિંદુ લેકમાં પણ મનુએ કહેલે ધર્મ તે માનવધર્મ તરીકે ઓળખાય છે. માટે સામાન્ય રીતે દેવતાદ્વારા મતનું નામ બદલાય છેએમાં માનવા છતાં મુખ્યતાએ તે તે દેવનાં કહેલાં કે તે તે મનુષ્યના કહેલા શાસ્ત્રોનું માનવાથી તે તે મત તે તે નામે ઓળખાય છે એમાં નવાઈ જેવું નથી. એ જ રીતે દિગમ્બર જે પિતાને જૈન તરીકે મનાવવા માંગતા હોય તે તેઓએ જિનેશ્વરનાં વચનેની હયાતી દેખાડવી જોઈએ, માનવી જોઈએ અને સાથે સાથે જિનેશ્વરનાં વચનેને પોતે માને છે એમ સ્વીકારવું જોઈએ. જિનવચનના અભાવે જૈનધર્મને અભાવ છે જ્યા સુધી દિગંબર જિનેશ્વરનાં વચનોની હયાતી ન માને, ત્યાં સુધી તેઓએ માનેલે ધર્મ જૈનધર્મ તરીકે ઓળખી શકાય નહિ.
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy