SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પુરતક ૧-લું તે ચૌદપૂવીપણે ભગવાન ગઢષભદેવજીને પહેલા ભવમાં જણાવ્યા અને બીજા તીર્થકરને તેમ નહીં જણાવતાં માત્ર અગિયાર અંગના ધારણ કરનારા જણાવ્યા તેથી ભગવાન ઋષભદેવજી ની અધિક સ્તુતિ ન થઈ? અને બાકીના ત્રેવીસ તીર્થંકરની ન્યૂનતા જણાવવાથી શું તેમની અવજ્ઞા થઈ? ભગવાન તીર્થકરને આશ્રયી અવધિજ્ઞાન અને તેની મર્યાદા એક એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન તીર્થકરે તીર્થંકરપણાના ભાવમાં ગર્ભથી ત્રણ જ્ઞાનવાળા હોય છે, પણ અવધિજ્ઞાનને અંગે પ્રમાણ જણાવતાં પહેલા ભવમાં અવધિજ્ઞાનનું જેટલું પ્રમાણ હોય તેટલું જ અવધિજ્ઞાનનું પ્રમાણ તીર્થંકરના ભાવમાં પણ કેવલજ્ઞાન પામવા પહેલાંની અવસ્થામાં હોય એ અપેક્ષાએ ભગવાન કહભષદેવજી વિગેરે જેઓ અનુત્તર વિમાનથી ચવ્યા છે, તેઓને અનુત્તર વિમાનના દેવતા જેવું સંભિન્ન લેકનાડી અવધિજ્ઞાન હોય. પણ જેઓ મહાવીર ભગવાન આદિની માફક દસમા દેવક આદિથી વેલા હોય તેઓને ચાર-પાંચ નરક સુધીનું જ જ્ઞાન હોય તે તે ન્યૂનજ્ઞાનની વાત કરનારો શું તીર્થકર ભગવાનની અવજ્ઞા કરનારે ગણાય? અથવા ભગવાન બાષભદેવજી આદિ જિનેશ્વરના અવધિજ્ઞાન ને અધિક કહેવાથી શું શેષ તીર્થકરોની અવજ્ઞા ગણી કહેવાય! એ વાત આગળ વધારીએ તે ત્રીજી નરકથી આવેલ કેઈક જીવ તીર્થકર હોય તે તેનું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી ત્રણ જ ગાઉનું હોય એમ માની લઈએ તે બીજા તીર્થકરે જેઓ દેવલોકથી આવેલા છે તેમના અવધિજ્ઞાનના પ્રમાણ કરતાં તે ત્રીજી નરકથી આ-૧-૪
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy