SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું એમ કહી અતીન્દ્રિયજ્ઞાનીઓ માટે સ્પષ્ટપણે આગમના વચનને અવલંબવાને નિષેધ જણાવી સ્વતંત્ર જ્ઞાનનું જ અવલંબન રાખવાનું સર્વ ક્રિયામાં જણાવેલ છે. તે પછી ભગવાન રાષભદેવજી ગર્ભથી અતીન્દ્રિય જ્ઞાનવાળા હોવાને લીધે ઇંદ્ર મહારાજાની વિનંતિને ધ્યાનમાં લઈ અનેક પ્રકારે લાભ દેખીને શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા પંચમુષ્ટિ–લચને ન આચરતાં ચાર મુષ્ટિથી લેચ કરે તેમાં કોઈ પણ પ્રકારને સવાલ રહેતે નથી. વળી તીર્થંકર મહારાજનું વર્તન શાસ્ત્રની ઉત્પત્તિની પહેલાનું છે. અર્થાત તે વખતે તીર્થની સ્થાપના પણ થઈ ન હતી અને શાસ્ત્રો રચાયાં પણ ન હતાં, અને આ કારણથી કેટલેક સ્થાને માતા મરૂદેવીને અતીર્થ સિદ્ધ તરીકે ગણવામાં આવે છે, તે શાસ્ત્રની ઉત્પત્તિ વગર શાસ્ત્ર સંબંધી પ્રતિબંધ ન હોય તે પણ સ્વાભાવિક છે. છતાં ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન ઋષભદેજીની સાથે દીક્ષા લેનાર ચાર હજાર સાધુઓએ તે પંચ મુષ્ટિક લેચ કર્યો છે, કારણકે ઈંદ્ર મહારાજે ભગવાન રાષભદેવજીને પાંચમી મૂઝિને લેચ બંધ રાખવાની વિનંતિ કરી, તે ઉપરથી તેઓ સમજી શકે કે દીક્ષા લેતી વખતે સાધુઓએ પંચમુષ્ટિક લેચ કર નેઈએ. સામાન્યપણે નિયમ છે લે–પ્રતિષેધ કરાય તે પ્રાપ્તિ પૂર્વકને જ હેય, એટલે પાંચમી મુષ્ટિના લેચના નિષેધની વિનંતિજ સાધુઓના પંચમુષ્ટિ અને નિયમિત કરે તેમાં નવાઈ નથી પણ અહીં મુખ્ય વિચાર તે એ છે કે આચારની અધિકતા ગણવી કે ભક્તિની વિનંતિની અધિકતા ગણવી? વાચક વૃન્દને સારી રીતે યાદ હશે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને આખા છવાસ્થ કાળમાં ઘર ઉપસર્ગો થવાના હતા અને
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy