SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આગમવાયત તે વીતરાગ પરમાત્મા સિવાય કેઈના સતકાર્યો કે સદુપુણે અનુમોદવા લાયક રહેશે જ નહિ. એટલું જ નહિ, પણ ખુદ પરમેષ્ઠીમાં પણ અરિહંત ભગવાન અને સિદ્ધ મહારાજ સિવાય બાકીના ત્રણ પરમેષ્ઠીઓમાં સદ્ગુણે અને સતકાર્યો માનવાની પણ મુશ્કેલી થશે. છે. તેથી પછી નમસ્કાર કરવાનું એ રહેશે જ ક્યાંથી? શું ગીતાર્થ સાધુ હેય અને તે આચાર્યાદિકનું વૈયાવચ્ચ કરે તે તે સત્કાર્ય અને સદ્ગુણ તરીકે વખાણવા લાયક ન ગણાય? શુ જેઓ શ્રતધર કે પૂર્વધર ન થયા હોય એવા સાધુ મહાત્મા જે તપસ્યા કરે છે તે તેની તપસ્યા સતકાર્ય કે સદ્દગુણ ન ગણાય? અર્થાત પિતાના કપેલા કે અદૂભૂત અવગુણથી કોઈના સદ્દગુણે કે સત્કાર્યો ઢાંકવાનું ન થાય. આ વાત મુમુક્ષુઓએ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સુકૃતાનુમોદનાનું મહત્વ છેવળી એક એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે – કરેલા સુકૃત કાર્યો આત્માને જેટલા સદ્ગતિના સાધન બને છે, તેના કરતાં તે સતકાર્યો અને સગુણાની થતી અનુમોદના ઘણી ઊંચી ગતિને દેનારી થાય છે. દરેક વર્ષે પયુંષણામાં આપણે સાંભળીએ છીએ કે એક જંગલી હાથી પિતે કરેલી સસલાની દયાની તત્પરતા અને તેની અનુમોદના જે અંત અવસ્થાએ રાખી શકે તે જ તે શ્રેણિક મહારાજને ઘેર રાજપુત્રપણે જન્મી શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજની પાસે ચારિત્ર ગ્રહણ કરી, યાવત અનુત્તર વિમાનના સુખને પામવા શ્રી મેઘકુમારને જીવ ભાગ્યશાળી થ. - આ વાત જ્યારે બાબર લક્ષમાં લેવામાં આવશે, અને એની અવસ્થાએ સતકાર્ય અને સદ્દગુણની અનુમોદના થશે, ત્યારે
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy