SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-છું . તરીકે અરિહંતાદિક કરતાં પ્રથમ નમસ્કાર કરવા લાયક ન ગણ્યા છતાં ભગવાન્ અરિહંતને સિદ્ધ મહારાજ કરતાં પણ પ્રથમ નમસ્કાર કરવા લાયક ગણ્યા છે, તેથી શાસ્ત્રકારો પણ ભગવાન તીર્થકરોએ સ્થાપેલા તીર્થને આલંબને થનારા સિદ્ધને તીર્થસિદ્ધ તરીકે જણાવી સિદ્ધ પણાના મૂળ કારણ તરીકે અરિહંત ભગવાને છે, એમ જણાવી ભગવાન તીર્થકરોની પ્રથમ નમસ્કરણીયતા અને આરાધ્યતા સાબિત કરે છે. તેથી ભગવાન અરિહંત કે જેઓ અશોકાદિ આઠ પ્રાતિહાર્ય અને અપાયાપરામ આદિ ચાર અતિશને ધારણ કરનાર છે, તેઓને શ્રી સિદ્ધચક્રના આદિબીજ તરીકે અને શ્રીનવપદ્મની કર્ણિકાને સ્થાને યોગ્ય ગણ્યા છે. હિત...ક. ૨સદુપદેશ. I ૦ ભાવેની શુદ્ધિ અને મલિનતાના આધારે જીવન શક્તિઓને વિકાસ-હાનિ થાય છે. ૦ વીતરાગની વાણી હૈયામાં જચી ત્યારે ગણાય, જ્યારે કે સંસારના સુંદર પણ પૌગલિક પદાર્થો હૈયામાં મોહ ન ઉપજાવે. વીતરાગની ભક્તિ મનની શક્તિઓને તોડી નાંખનારી હોય છે. છે. ૦ જગતને રાજી રાખવામાં શાણપણ નથી, પણ આપણુ વૃત્તિઓને આજ્ઞાના કેન્દ્રમાં ટકાવી રાખવામાં ડહાપણ છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy