SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજ્યોત થતા કલેશને શમાવવા અને તે શમાવવાને વિધિ એ વગેરરૂપ સામાચારી કે જે સાધુપણાનું મુખ્ય કર્તવ્ય છે તે ભગવાન ગણધરની વખતે કે શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસ્વામીજીની વખતે ન હોય એમ કોઈપણ અક્કલવાળે માની શકે તેમ નથી. - આ કારણને અંગે શ્રીકલ્પસૂત્રના અંતમાં પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીજી જણાવે છે તે પ્રમાણે આ પર્યુષણુક૫ની હયાતી ભગવાન મહાવીર મહારાજના વખતે પણ હતી અને તે કપની આરાધનાનું ફળ ભગવાન્ મહાવીર મહારાજે શ્રીમુખે રાજગૃહી નગરીના ગુણશીલ ચિત્યની અંદર સમસ્ત સાધુ, સાધ્વી, શ્રાવક, દેવ અને દેવીઓની વચ્ચે જાહેર રીતે ફરમાવેલ છે " આ ઉપસંહારનું સૂત્ર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ પૂર્વગત કૃતના પર્યુષણાકામાં મ્યું હોય અને તેને અનુસારે ભગવાન ભદ્રબાહુવામીએ પર્યુષણું કપમાં ઉપસંહાર જણાવ્યું હોય તે તે કેઈપણ પ્રકારે અસંગત નથી ઉપરની હકીક્ત વિચારતાં પયુર્ષણ કલ્પના પ્રથમ તીર્થકર ચરિત્રરૂપી અધિકાર માટે તેમજ ત્રીજા સામાચારી રૂપ અધિકારને માટે નુતન રચના કે કલિપતપણું માનવાને અવકાશ નથી, પણ શંકાકારના જણાવેલા મુખ્ય મુદ્દા પ્રમાણે સ્થવિરાવલીના અધિકારને માટે કૃત્રિમ માનવા સાથે પૂ. આ. શ્રી ભદ્રબાહુ સ્વામીજીને કરેલ તે અધિકાર નથી એમ માનવાને કદાચ મન દેરાય. પણ તેમાં અત્યંત વિચારને અવકાશ છે. કેમકે દરેક ધર્મમાં હોય છે તે કરતાં પણ જૈન ધર્મમાં તત્વત્રયીની માન્યતા વિશે એતપ્રેત થએલી અસલથી જ છે, અને આ પર્યુષણક૫માં તીર્થકર મહારાજાઓની આવલી (પરંપરા) ને જણાવીને જેમ દેવતંત્ર તરફની લાગણી શાસ્ત્રકારે પ્રદર્શિત કરી ભવ્યજીને તેવી લાગણી ધરાવવા ભગવાન તીર્થ: કરના ચરિત્રે જણાવ્યાં અને ધર્મતત્વની રીતિ-સામાચારી નામના
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy