SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત હેતા નથી, જો કે તે હીરા, સેનું અને મોતી સ્વભાવે શુદ્ધ વરૂપ હોય છે, પણ ઈતરના સંગોમાં તે ખરડાયેલા રહે છે અને તેથી તેને મૂળથી અશુદ્ધરૂપે આપણે દેખીએ છીએ, અને શપક મહાશયેના પ્રયત્નોથી જ તેના મૂળ શુદ્ધ સ્વરૂપને પ્રગટ થતું આપણે જોઈ શકીએ છીએ, તેવી રીતે શાક અને પરીક્ષાની દૃષ્ટિએ સૂક્ષમ બુદ્ધિથી જેનાર મનુષ્ય સ્પષ્ટપણે જાણે, માને અને ઉપદેશ છે કે આ આત્મા પણ તે હીરા, મોતી અને સેનાની માફક ભવિષ્યમાં શુદ્ધતમ સ્વરૂપવાળે થવાને હેઈ શુદ્ધ સ્વરૂપ છતાં પણ કર્મરૂપ અન્ય પદાર્થના સંયોગથી અશુદ્ધસ્વરૂપને ધારણ કરનારા થયે છે, અર્થાત્ કેઈપણ આત્મા અનાદિથી શુદ્ધ સ્વરૂપવાળે છે જ નહિ. જો કે શાસણ પુરુષ સિદ્ધ મહારાજાઓને અનાદિ માને છે, પણ તે સિદ્ધનું અનાદિપણું કાલના અનાદિપણાને આભારી છે, પણ કોઈપણ જીવ શાસએ એ તે માનેલે નથી કે જેને કમરૂપ ઇતર પદાર્થોને સંગ હોય જ નહિ. અર્થાત્ સર્વજીવ કર્મરૂપ ઈતર પદાર્થથી અનાદિથી વિંટાએલા છે, અને તેથી સર્વજીવ અનાદિથી સ્વસ્વભાવને ભલેલા હાઈ પરસ્વભાવમાં પડેલા છે એમ જે શાક માને છે તે યુક્તિયુક્ત લાગે છે. હવે વિચારવાની જરૂર એ છે કે ઈતર સંગ છે, પણ તે આત્માની માનસિક, વાચિક અને કાયિક એ ત્રણે પ્રકારની શુભ કે શુદ્ધ પ્રવૃત્તિ ઉપર જ આધાર રાખે છે, અને તેવી શુભ કે શુદ્ધ પ્રવૃત્તિને આધાર તેના તેવા પરિણામ ઉપર રહેતું હોવાથી અને પરિણામને આધાર મુખ્ય ભાગે ચપુરુષના સમાગમ, તેના ઉપદેશનું શ્રવણ અને તે પુરુષે ઉપોલ તત્વને અંશે કે સર્વથા થતા અમલ ઉપર રહે છે, અને તેવા સપુરુષના સમાગમ વિગેરે સાપને ઘણાજ અ૫પુરુષને પ્રાપ્ત થતા હેઈ અનુભવસિદ્ધ એ વાત માનવી પડે છે કે સામાન્યપણે જીવમાત્ર અશુભ કર્મોના સાગ તરફ દેરાઈ રહ્યો છે, અને તેના ફળે અનુભવી રહ્યો છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy