SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક રજુ દેખાડવા માટે છે, ગ્રહણકાળ દેખાડવા માટે નથી. અણુવ્રતેને માટે કહ્યું કે એક વખત ગ્રહણ કરેલાં હોય તે જાવજજીવ ચાલે. ગુણવતેમાં બે વાત. એક વખત ગ્રહણ કરીને યાજજીવને માટે ગ્રહણ કરે. અથવા ઈત્વરિક પણ હોય એટલે કે થોડા કાળ ધારણ કરાય તેમ હોય. અણુવ્રત-ગુણવ્રતનું નિરૂપણ ધરણ કાળની અપેક્ષાથી વિચારાયું છે. તેથી પ્રતિનિયત-દિવાસાનુદ્ધેયમાં પ્રતિનિયત શબ્દને અર્થ એ લોકોના મતે ગ્રંથકારને અજ્ઞાની ઠરાવનાર થાય છે કેમકે પર્વ જે નાને શબ્દ ન મૂકતાં પ્રતિનિયત દિવસ આવે લાંબો શs મેલવાની જરૂર શી? પર્વનુષ્ઠય કહેવાની જરૂર હતી. - અહીં પૂ. આગમ દ્વારકશ્રીના કહેવાતા મર્મને જરા સ્થિર બુદ્ધિથી સમજવાની જરૂર છે. સામાયિક દેશાવગાશિક પ્રતિદિવસાનુદ્ધેય છે. પણ પૌષધ, અતિથિ વિભાગ પ્રતિદિવાસાનુદ્ધેય નથી. આ કથનને સ્થળ બુદ્ધિથી કદાચ એ અર્થ પણ તારવી શકાય કે “રેજ કે ગમે ત્યારે ન લેવાય, પ્રતિનિયત પર્વના દિવસે જ કરી શકાય.” પણ આ વાત તપાગચ્છની સમાચારી સાથે સંગત નથી. - તેથી વિદૃશ્ય નિશ્ચિતનીયા ની જેમ દિવસાનુદ્ધેય ને અને પૌષધ અને અતિથિસંવિભાગ આ બે વ્રત પાલન કરવાની દષ્ટિએ અર્થાત અમલમાં મુકવાની દૃષ્ટિએ પ્રતિનિયત નિયત સમય માટે જ ઉત્કૃષ્ટથી ૮ પ્રહર માટે કહી શકાય તેથી વધુ એકી સાથે કરવા માટેની પ્રતિજ્ઞા સંભવિત નથી, શાસ્ત્ર વિરુદ્ધ છે. એક સાથે પાર્યા વિના જેમ ત્રણ સામાયિક લાગેટ કરી શકાય તેમ પૌષધ પણ ૨૪ કલાકથી વધુ સમય માટે ઉચ્ચારાવી ન શકાય, ઉપધાન આદિમાં આ વાત પ્રત્યક્ષ છે. તેથી અહીં પૌષધ વિભાગને પ્રતિનિયત અતિથિસંદિવાસાનુદ્ધેય કહ્યા તેને ભાવાર્થ “તે બંને કાર્યો ર૪ કલાકથી વધુ માટે પ્રતિજ્ઞા દ્વારા કરી શકાતા નથી. એ જાણવો. આ વાત પૂ. આગમાદ્વારકશ્રીએ આની પછીના વાકયમાં સ્પષ્ટ કરી જ છે કે “ જેઓ ધરણકાળની મર્યાદા નથી સમજતા અને ગ્રહણકાળ વખતે એવો અર્થ કરે છે.......વગેરે
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy