SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું ૫ આ ઉપરથી માલધારીજી મહારાજ એમ જણાવે છે કે – જેઓ આહારાદિકના દાનરૂપી દાનધર્મથી વિમુખ છે, તેઓ જ્ઞાન અને જ્ઞાનીઓની યથાસ્થિત ઉપયોગિતાને સમજનારા નથી. વળી તેઓશ્રી ચકખા શબ્દોમાં જણાવે છે કે – જ્ઞાનીનું પણ શરીર તે ઔદારિક પુદ્ગલમય છે અને તે ઔદારિક આદિ પુદ્ગલમય શરીર આહારદિક વગર ટકી શકે નહિ એ સ્પષ્ટ છે, એમાં કંઈ કહેવું પડે તેમ પણ નથી.” “શરીર જે ન હોય તે ભવ–ગત જીવ જ્ઞાનને મેળવી શકે નહિ જ્યારે જ્ઞાન ન હોય તો સાધુ-સાધ્વી આદિરૂપ તીર્થ હોય કયાંથી?” આ ગાથા કહીને માલધારીજી મહારાજ સ્પષ્ટ કરે છે કે તીર્થના ભક્તો કે સાધુ-સાધ્વીના ભક્તો તેઓ જ વાસ્તવિક રીતિએ ગણાય કે જે આહાર-શયન–વઆદિકના દાનધર્મને માટે અભિરૂચિવાળા હેય. વળી તેઓશ્રી જણાવે છે કે “આહારાદિકે કરીને રહિત એવા સાધુ-સાધ્વીઓને જે તપ–નિયમ-સ્વાધ્યાય વિગેરે ગુણે આપોઆપ પ્રર્વતતા હેય તે યાચના, લઘુતા, ભટકવું વિગેરે ઘણા કષ્ટથી મળવાવાળે આહાર વિગેરે હેવાથી તેને લેવા તરફ કેણ પ્રયત્ન કરે?” આ ઉપરથી શ્રી માલધારીજી સ્પષ્ટ કરે છે કે જે મુમુક્ષુ જીવે સંસાર સમુદ્રથી પાર ઉતરવાને માટે સાધુઓમાં તપ-જપ-નિયમ-સ્વાધ્યાય વિગેરેની જરૂર જતા હોય, તેઓએ
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy