SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ ચૂર થાયજ નહિ. મેરૂ પર્વતને વાયરાના, વટેળીઆના, વાવાઝોડાના કરે, અબજો ધકકા લાગે તેયે એ ડગે ખરો? એની કાંકરીયે ખરે ખરી? જે ચીજ લેઢાની પિલાદી હોય. વજા મયી હોય તે મજબૂત સ્વયં મજબૂતજ છે. ધર્મ જાતેજ મજબૂત છે માટે તે અવિચલ જ હોય. ધર્મને શાસ્ત્રમાં વાયુથી પણ ચંચળ કહે છે એ પણ સમજવા જેવું છે દુનિયામાં ચલમાં ચલ વાયુ ગણાય છે. કેઈ વસ્તુના વેગની ગતિ બતાવવા “વાયુ વેગે એમ કહેવામાં આવે છે. એ વાયુથી પણ મન વધારે ચંચળ છે, વાયુની ગતિ તે ફરતી ત્યાં ફરે, હિંદમાંજ ફરે, દરીયાઈ પવન ત્યાંજ ફરે, પહાડી પવન ત્યાંજ (એટલામાંજ) ફરે, પણ મનની ગતિ તે સર્વત્ર માટે તે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ મનને જલિ કહેલ છે, પવનની ગતિની પરખ થઈ તેનું નિયમન થયું, નોંધ થઈ પણ તેવી નેધ મનની થઈ? વિચાર વાયુની નોંધ થઈ? તેનું લીસ્ટ થયું? વાયુને અંગે નિયમન એટલે કાયદા નોંધાયા કે અમુક સ્થળે અમુક સમયે વાયુની આવી અને આટલી ગતિ, તાત્પર્ય કે ગરમી, વાયુ, વરસાદ સંબંધી નિયમન ખરૂં; કાયદા ખરા પણ વાંદરા માટે કાયદે ખરે ? હવે તેમાં જગતના વાંદરા એટલે કે વાનર જાતિના વાંદરા પિતાના બગીચામાં કુદે, ગુજરાતનાં વાનરનું ટેળું કાઠીયાવાડ ગયું? પણ વિચારરૂપી વાંદરા માટે કાયદે કોષ્ટક ગણિત કાંઈ છે? મનને વાંદરા સાથે સરખાવ્યું પણ મન વાનર, પેલા વાનરથી વળી જુદું જ છે. વાયુથી પણ વધુ ચંચળ મન છે; ધર્મને ચંચળ કેમ કહ્યો? તે અપેક્ષા હવે સમજાશે કેમકે ધર્મને આધાર વિચાર પર એટલે કે મનના પરિણામ પર છે. ત્યારે પ્રશ્ન રહે છે કે તે પછી ધર્મ મજબૂત શી રીતે? સાધ્ય ધમ ચંચળ છે જ્યારે સ્વરૂપ ધમ લેહમય, પિલાદી, વમય છે. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, સમ્યગુચારિત્ર એજ સ્વરૂપ ધર્મ એ ધર્મ વમય છે. એ ધર્મનું સ્વરૂપ કદી ખંડિત થયું
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy