SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ–૫, ૫-૧, શ્રી સિદ્ધાર્થનું મહારાજાપણું એટલું જ નહિ પણ સિદ્ધાર્થ મહારાજાને જે સામંત રાજાઓ પહેલાં વશ આવતા હતા, તે સર્વ સામતે ભગવાન મહાવીર મહારાજાના ગર્ભમાં આવવા માત્રથી વશ આવી ગયા. આ વાત સ્પષ્ટપણે શ્રીકલ્પસૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું વર્ધમાન નામ સ્થાપન કરતી વખતે મહારાજા સિદ્ધાર્થ અને મહારાણી ત્રિશલાએ સ્પષ્ટપણે ઉચ્ચારણ કર્યું છે. ભગવાન મહાવીર મહારાજને રાજ્યત્યાગ આ ઉપરથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના પિતા એક ગામના ઠાકર હતા કે સર્વથા સામાન્ય રાજા હતા એમ કહેવું તે એક જૈનશાસ્ત્રની સત્ય વાતને ઉથલાવી દેવા જેવું છે. વળી શ્રમણ ભગવાન મહાવીર મહારાજની દીક્ષા વખતે પણ રિચા = રિચ હું એ શબ્દ મહાવીર મહારાજે રાજ્ય અને દેશને છોડ એ હકીકત સ્પષ્ટપણે જણાવે છે. વળી ભાષ્યકાર મહારાજ પણ શીતાપણા નાક એવા કારિકાના સ્પષ્ટ અંશથી જણાવે છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે દીક્ષા લેતી વખતે ઘણું બહેળું રાજ્ય છેડેલું હતું. ક્ષત્રિયકુંડના સ્થાન ઉપરથી શ્રીમહારાજાપણની દષ્ટિ વળી જે મનુષ્યએ વર્તમાનમાં પણ ક્ષત્રિયકુંડના પર્વત ઉપરના અસલ સ્થાનની મુલાકાત લીધી હશે અને સૂક્ષ્મ દષ્ટિએ તે સ્થાનના પ્રભાવનું અવલોકન કર્યું હશે તેને સ્પષ્ટપણે માલમ પડ્યું હશે કે તે સ્થાનનું આધિપત્ય કરનાર જે સામંત રાજાઓનું આધિપત્ય કરતો હોય તે તે ખરેખર મોટે રાજા હવે જોઈએ. ગર્ભસંહરણ વખતે જ ઈન્ટે કરેલ રાજવીને વિચાર વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજને દેવાનંદાની કુખમાંથી શ્રી ત્રિશલાની આ. ૪
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy