SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષય પુ-૪ ર૩૭ આ પ્રમાણે જે જુદી જુદી વિચારધારાઓ છે. તેને આશય શે? તે સમજાવતાં પૂ. આગમ દ્વારકશ્રી એમ જણાવે છે કે જે શુકલપાક્ષિક હોય તેને એક પુદ્ગલપરાવર્ત સંસાર બાકી એમ ન સમજતાં જ્યારે જીવને એક પુદ્ગલપરાવત સંસાર બાકી રહે ત્યારે જીવ શુકલપાક્ષિક થાય, એટલે આમાં કાલની પ્રધાનતા વિવક્ષિત કરવી. - તે ચરમ આવર્તમાં જીવ આવે ત્યારે મેક્ષના અસ્પષ્ટ પણ આશયથી–મેક્ષપ્રતિ રૂચિ ઉપજવાથી અનંત પુદ્ગલપરાવર્ત નાશ પામી જાય છે. અહીં પરિણતિની-મેક્ષ પ્રતિ રૂચિવિશેષની પ્રધાનતા જાણવી. મેક્ષના ઉદ્દેશ્યથી ધર્મ કિયાની પ્રવૃત્તિ કરવાપણું જ્યારે આવે ત્યારે અદ્ધ પુદ્ગલપરાવર્તા એટલે સંસાર રહ્યો જાણ. આમાં ધર્મક્રિયાની પ્રધાનતા જાણવી. સમ્યકૃત્વ પ્રાપ્ત કરે તેને ૭/૮ ભવ કહ્યા છે. તે બાત્માના વિશિષ્ટ (મેહના) ક્ષપશમ દ્વારા ઉત્પન્ન થતા ઉઘાડ -વિકાસને મુખ્ય રાખીને જાણવા. અર્થા-ચઢતે પરિણામે સમ્યક્ત્વ પામ્યા પછી પડિવાઈ પરિણામી ન બને તે જઘન્યથી તે જ ભવે મધ્યમથી ત્રીજે યાવત સાતમે ભવે ઉત્કૃષ્ટથી આઠમે ભવે તે જરૂર સર્વ કર્મ નિજ કરી મોક્ષે જાય જ ! આમાં આત્મશક્તિના વિકાસની ચઢતી કળા મુખ્ય છે. સમ્યકત્વવાળાને અદ્ધપુદ્ગલપરાવર્ત જેટલે સંસાર તે કેક જીવ તેવી ભયંકર કેઈ આશાતના તીર્થંકર પ્રભુ આદિની કરે તે તે વધુમાં વધુ વાન્તસમ્યકૃત્ની પણ અદ્ધ પુદ્ગલપરાવે જરૂર મેક્ષે જાય જ. લાપશમિક સમ્યક્ત્વ અસંખ્યવાર આવે છે જાય છે, તે પણ તેવાઆત્મશક્તિહીન જીની અપેક્ષાએ જાણવું.
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy