SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧, પુર નથી. સામાન્ય સકષાય પ્રમત્ત સાધુ માટે જ્યારે આવી રીતે હિંસકપણું છતાં અબંધકપણું અને નિર્લેપપણું હોય તે પછી નિષ્કષાય એવા જીવવિશેષને તે હિંસા એ નિયમિત પણે કર્મને બંધ કરાવેજ અને તે હિંસાવાળી અસર્વજ્ઞ અવીતરાગજ હેય એમ કેમ કહી શકાય? સર્વજ્ઞને હિંસા કેમ? જો કે એ વાત તે સાફ છે કે સકષાયસાધુને છાસ્થપણાને લીધે અજ્ઞાનતા હય, અને તેથી પહેલાં દેખેલા અને નહિ જાણેલા જીવની હિંસા થાય, પણ નિષ્કષાય એવા સર્વજ્ઞના જ્ઞાનને તે વિષય થાવત્ શેયને હોવાથી અજ્ઞાનપાને સંભવજ ન હોય, પણ પિતાના પ્રવર્તે. નાયોગે અવશ્યભાવી એવી હિંસા અથવા હિંસા જેની થવાની છે, તેને યોગની પ્રવૃત્તિથી થતી હિંસા જેમ નદીના જળ વગેરે, શરીરે લાગેલે મહાવાયુ, વાયુકાયના જે શરીર સાથે અથડાતા મચ્છર વગેરેની હિંસા અવશ્યભાવી હોઈને પિતાના ગની પ્રવૃત્તિથી થયેલી નથી, માટે તે હિંસા થવા છતાં તે નિષ્કષાયજીવને તેને કર્મ બંધ નથી. કર્મને બંધક કેણુ? ઉપર જણાવેલી હકીકત વિચારનાર મનુષ્ય એટલું તે સહેલાઈથી સમજી શકશે કે– મન વચન કે કાયાની પ્રવૃત્તિ કર્મને બંધ કરાવવામાં અવ્યભિચારી કારણ નથી, પણ કમને બંધ કરાવવામાં ઈર્યાસમિતિ આદિથી જીવને બચાવવાની પ્રવૃત્તિરૂપ યતના કે સંયમ જેઓ ન રાખે તેઓને જીવેની હિંસા ન થાય તે પણ પ્રગથી નિરવઘ નથી પણ સાવદ્ય છે એથી જરૂર કર્મબંધ થાય છે. અહિંસા અને સંયમને ભેદ આ વાત સમજવાથી હિંસાની નિવૃત્તિરૂપ અહિંસા જણાવ્યા છતાં શાસ્ત્રકાર શ્રીશäભવ સૂરિજીએ સંયમ કેમ જણાવ્યું? એને ખુલાસે થઈ જાય છે.
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy