SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪-૫.૧ બેથી અધિક હોય તે બહુવચન વપરાય છે, તે શું ચાર કલ્યાણકને અગે બહુવચન ન વપરાય? કે જેથી બહુવચનના નામે ગર્ભા હારને કલ્યાણક તરીકે બેસવું પડે! વળી ફાલ્ગનીને અંગે કોશકારેએ વાપરેલા એકવચનને આગળ કરવું તે પણ અણસમજ ભરેલું છે, કેમકે કેશકારેને તે માત્ર તેના દેવતા જણાવવાને અધિકાર છે, અને ત્યાં નક્ષત્રની સંખ્યાને અંગે તે બહુવચન વ્યાકરણથી સિદ્ધજ છે. ગજાદિ સ્વપ્નના ફલાદેશની મહત્તા તત્વથી જે કે મહાવીર ભગવાનના ગર્ભને ત્રીજો મહિને હત, તે પણ ત્રિશલારાણુની કૂખે પ્રવેશ તે ત્યાસીમે દિવસે હોવાથી તે રાત્રિએજ ત્રિશલામાતાએ ચૌદ વખાં દેખ્યાં, જે કે મહારાજા સિદ્ધાર્થજીએ તે ગજાદિક ચૌદ સ્વપ્નને સામાન્ય રીતે પણ ફળાદેશ મોટા રાજા તરીકે કહે છે, પણ બીજે દહાડે બોલાવેલા વખપાઠકેએ કહેલે ફળાદેશ જે તાત્વિક કહેવાય અને જગતમાં જાહેર થનારે ગણાય, તે ફળાદેશ ચાતુરત ચક્રવર્તી કે ધર્મવર ચાતુરંત ચક્રવર્તીપણને જ હતું, અને તેથી દેશ દેશાંતરમાં અત્યંત જાહેરાત થવા પામી હતી કે સિદ્ધાર્થ મહારાજા ની રાણી ત્રિશલાને થયેલ પુત્ર ચક્રવતી થશે. સાથે રમનારા તે કુમારે કયા? તે સર્વ પ્રસિદ્ધિને પ્રતાપે મહારાજા શ્રેણિક અને માલવાધિપતિ થએલો એ ચંડપ્રદ્યતન વિગેરે રાજકુમાર ભગવાન્ મહાવીર મહારાજની લગભગ સરખી ઉંમરના હે સેવા કરવા હાજર રહેલા હતા. તેઓ પણ કદાચ આ સર્ષ અને પિશાચિક રૂપની વખતે હોય, કેમકે તેમના માતાપિતાએ તે વખત પણ મોકલ્યા હોય તે તે કાંઈ અસંભવિત નથી. પિશાચિક રૂપને મુષ્ટિ મારવાને હેતુ તત્વમાં ભગવાન મહાવીર મહારાજે તે પૈશાચિક રૂપને
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy