SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 真 વર્ષ ૪–૫, ૧ નહિ લેવાના અભિગ્રહ અને નથી તા માતા અને સકલ રાજ્ય કુટુંબ જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લેવાના` અભિગ્રહ, કિન્તુ માતા અને પિતા એ બંનેનીજ અનુકંપાને અંગે એટલે કે માતાપિતા જીવે ત્યાં સુધીજ દીક્ષા નહિ લેવાના અભિગ્રહ કરેલા છે. અર્થાત્ દીક્ષા નહિ લેવાના અભિગ્રહમાં કારણ કરીકે સૂત્રકાર અને ટીકાકાર મહારાજાએ માતાપિતાની અનુકંપા રહેલી હાવાથી અને તે અભિગ્રહના વખત સાતમા મહિનાના નિશ્ચિત હાવાથી ટીકાકારોએ જણાવેલું ગભ રક્ષણાદિક દ્વારાએ માતા અને પિતાના સ્નેહનું જાણવું એ કારણજ વાસ્તવિક જાણી શકાય તેમ છે. આ બાબતમાં પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ચેાથે, પાંચમે અને છઠ્ઠું મહિને માતા અને પિતાએ કેવી અંતઃકરણની લાગણીથી ગનું રક્ષણ કર્યુ હશે, તે નિશ્ચળ અવસ્થામાં થએલા તેમના શાથી આપણે સહેજે સમજી શકીએ તેમ છે. વળી એ પણ સાથે સમજી શકાય તેમ છે કે જે વસ્તુને અત્યંત કિંમતી અને સારાપણાને અને તેની ઉપર અદ્વિતીય રાગ થયા હોય પછી તે વસ્તુ ચાલી જઈ ને ફ્રી મળે તે તેની ઉપરના રાગની તા સીમાજ રહેતી નથી, તેવી રીતે અહીં પણ સિદ્ધાદિકના ઉત્તમ ચૌદ સ્વપ્નાથી ગર્ભની ઉત્તમતા જાણ્યા પછી નિશ્ચળ અવસ્થાની વખતે તે ગર્ભના નાશની શંકા થઈ, અને પછી જ્યારે તે ગભ હાલ્યા ચાલ્યા ત્યારથી તે ત્રિશલામાતા અને સિદ્ધાર્થ મહારાજને જે ખુશી અને આનંદ થવા સાથે ભગવાનની ઉપર રાગની માત્રા વધી હશે તે ખરેખર તેઓના આત્મ અને અતિશય જ્ઞાનીઆજ જાણી શકે માતાપિતાના સ્નેહ . ܀ વળી એ વાત પણ સહેજે સમજાય તેમ છે કે ગર્ભાવસ્થામાં પણ રહેલા પુત્ર ઉપર દુનિયાના બીજા લેાકેાના સ્નેહ ન હોય, પણ માતાપિતાના સ્નેહ તે ગર્ભાવસ્થામાં પણ રહેલા · પુત્ર ઉપર સીમા રહિતજ હાય છે, અને તેથીજ ગર્ભની નિશ્ચળતા પછીની થએલી
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy