SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત એક નિશ્ચય કરી શકીએ કે ગર્ભનિશ્ચળતાને લીધે ત્રિશલામાતા વિગેરેની ભવિષ્યમાં થવાવાળી દશા જાણી હેત તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કદીપણ તે ગર્ભાવસ્થામાં નિશ્ચળ થાત જ નીર, અને શાસ્ત્રકારે પણ ચોકખા શબ્દમાં જણાવે છે કે વિશલામાતાના થએલા દુઃખનું ભગવાન મહાવીર મહારાજાને જ્ઞાન તેમને દુઃખ થયા પછી જ થએલું છે. (જુઓ કલ્પસૂત્ર મૂળ તથા આવશ્યક ચૂર્ણ, વૃત્તિ વિગેરે) આવી રીતે સૂત્રોના સ્પષ્ટ પાઠ હોવા છતાં જે કદાચ અજ્ઞાનતાને લીધે કે બીજા કોઈ પણ કારણસર એમ માનવા તરફ દેરાઈએ કે ભગવાન્ મહાવીર મહારાજે ત્રિશલમાતા વિગેરેની ભાવી દુખદ દશા જાણીને નિશ્ચળપણું કર્યું હતું, તે તેવી સ્થિતિમાં માતાની અનુકંપા માટે ગર્ભનું નિશ્ચળપણું કરનારા ઉભય દુખની તુલના કરનારા થયા એમ કહેવાય જ નહિ પ્રભુ મહાવીરની અનુકંપા વળી શાસ્ત્રકારે માતાની અનુકંપા માટે જ ભગવાન નિશ્ચળપણે રહ્યા એમ સ્પષ્ટ જણાવવા સાથે એ પણ સ્પષ્ટ જણાવે છે કે ભગવાનૂ મહાવીર મહારાજા જ્યારે ગર્ભમાં નિશ્ચળ રહ્યા ત્યારે માતાત્રિશલા શેકના સમુદ્રમાં ડૂબી ગઈ, મહારાજા સિદ્ધાર્થ વિગેરે આખું રાજકુલ વ્યગ્રચિત્તવાળું થયું અને નાટક વિગેરેની પ્રવૃત્તિઓ સર્વથા બંધ થઈ ગઈ અને ભગવાન મહાવીર મહારાજને તે નાટકની પ્રવૃત્તિઓ બંધ થવાથી જે વાજાંગાજ બંધ થયાં તેને લીધે વિચાર કરવાને વખત આવ્યે. શાસ્ત્રકાર લખે છે કે ભગવાન મહાવીરસ્વામીજીએ તે વખત પ્રથમ એજ વિચાર કર્યો કે આ રાજકુલમાં વાજાંગજા વિગેરેને શબ્દ જે સતત પ્રવર્તતે હતું તે કેમ બંધ થયે છે? આ શંકાનું સમાધાન કરતાં બાહા તેવા કેઈપણ સગો શેકના કારણ તરીકે ન દેખ વાથી ભગવાન મહાવીર મહારાજે તે શેકનાં આંતરિક કારણે જાણવા માટે અવધિજ્ઞાનને ઉપગ કર્યો, અને તે અવધિજ્ઞાન
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy