SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪-૫, ૪ ૨૪૯ કે સિદ્ધપણે રહેવાને વખત જ નહિ આવે. અને મોક્ષનું થયું કે મુક્તદશામાં રહેવું એ બને ન હોય તે સર્વ દીક્ષા આદિ ધર્મકાર્યો વ્યર્થ જ ગણાય. વળી અનાદિથી જે કર્મને બંધ ન હોય અને વર્તમાનમાં તે જીવને શરીર આદિ હેવાથી કમને બંધ અને કમને ઉદય છે, એમ માનવું જ પડશે અને વર્તમાન કાલને કર્મોદય પૂર્વકાલમાં કર્મોને કર્યા વિના થયે નથી, તેમ પૂર્વકાલમાં તે કમનું કર્તાપણું મન વચન કે કાયાના પેગ સિવાય થયું નથી અને મન વચન કે કાયાના ગે કે જે કર્મોના ઉદયથી જ થવાવાળા છે તે તેની પહેલાંના કર્મોના ઉદય શિવાય થાય નહિ. અર્થાત્ જેમ બીજ વિના અંકુરે હેય નહિ અને અંકુરા વિના બીજ ન હોય અને તેથીજ બીજ અંકુરની પરંપરા અનાદિની માનવી પડે છે, તેમ અહિકર્મના ઉદય વિના કમને બંધ હેય નહિ અને કર્મના બંધ વિના કમને ઉદય ન હોય એથી કર્મબંધ અને કમઉદયની પરંપરા અનાદિથી માનવીજ જોઈએ, અને કર્મની પરંપરાજ અનાદિની હેય તે પછી તે કર્મથી આત્માનું થતું મલિતપણું અનાદિથી કેમ ન હોય? એમ નહિં કહેવું કે કમને બંધ કર્મના ઉદયથી અને કમને ઉદય કર્મના બંધથી માનીયે તે અનવસ્થા આવશે કારણ કે આદિવાળા જ્ઞાન ઉત્પત્તિ કાર્યોમાં અનવસ્થા આવે એ બાધા કરે, પણ અનાદિથી જ જે કાર્યકારણની પરંપરા હોય તેમાં આસ્થા એ દોષ નથી એટલું જ નહિં પણ એક અપેક્ષાએ અનાદિતા સિદ્ધ કરવાનું સાધન છે. જેમ બીજ અને અંકુરની પરંપરાને અનાદિ છે એમ સાબિત કરવામાં બીજ વિના અનહેાય અને અંકુરે વિના બીજ નય એમ જણાવી બીજ આદિમાં હતું કે અંકુરે જ આદિમાં હતું એમ કહેનારને સત્યસ્વરૂપ સમજાવતાં અનવસ્થા અપાય અને તેથી બીજ અને અંકુરાની પરંપરા અનાદિ છે, અર્થાત્ બીજ એકલું પણ આદિમાં ન હેય અને અંકુરે એકલે પણ આદિમાં ન હોય એમ જણાવી
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy