SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અઢીદ્વિીપ તેમાં પાંચ કારતક્ષેત્ર. તેમાં એક ભરતક્ષેત્ર છેતેમાં ત્રીસ હજાર દેશ છે, તેમાં ધર્મના કેટલા દેશ?તે સાડા પચીશ બાકીના ૩૧૯૭૪ ધર્મ વગરના, ૩૨૦૦૦ દેશમાં સ્ન સાડાપચીશ દેશ તેમાં આવવું કેટલું મુશ્કેલી તેમાં ધમને કાને ન સાંભળે તેવી જાતે કેટલી? તે બધી. ઘમને સાંભળવાવાળામાં અવળી સ્થિતિવાળા જે હોય, જેને ધર્મ અવળો પરિણમે હય, જેને ધર્મ ગુરૂ દેશના શાસ્ત્રો અને શિખામણે મલી હેય તે પણ તેને તે અવળી પરિણમે. શાસ્ત્ર કબુલ! પણ મારું ધાર્યું શાસ્ત્રમાંથી નીકળે તે કબુલ. મારા ધાર્યાથી વિપરીત નીકળે તે શાસ્ત્રો ખેટાં. મારું ધાર્યું કરે તે ગુરૂ સાચા ને મારું ધાર્યું ન કરે તે ગુરૂ જુઠા. આવાને કહેવું શું? શાસ્ત્ર સાંભળ્યા છતાં કહા થવી મુશ્કેલ. માટે આપણે આગમ શબ્દ વાપરીયે. બીજાઓએ શાક્ય, સ્મૃતિ, શ્રુતિ શબ્દ વાપર્યા છે. ત્યારે આપણે આગમ શબ્દ વાપર્યો. મોહનભાઈ જેવા કહેશે કે ન શબ્દ કહેવાથી ફાયદે શે? અને તે ન કાઢયે ક્યાંથી? વાત ખરી આગમ શબ્દ તત્વને જણાવવા માટે છે. શ્રુત શબ્દ સાંભળ્યું તેથી શ્રત થઈ ગયું, કૃતિ એટલે સાંભળવું તેમાં તવ નહિ. શાસ્ત્ર શિખામણ માટે તેમાં તત્ત્વ નહીં આવે, આ બધું ખ્યાલમાં લાવવા લાયક તત્વ કયું? તે કહે તે આગમ કહેવું પડે. તે આગમ શબ્દમાં તત્વ કયાંથી આવ્યું? આગમ શબ્દને અર્થશે? તે સમયે જરૂરી છે, આગમ શબ્દને અથ શ્રુત-શ્રુતિને શબ્દમાં ન આવે. શબ્દનું જ્ઞાન જાનવરમાં છે કે નહીં? તે કહે !તમારી શેરીમાં કુતરા કુતેરીઓ હોય, તેની છોકરાએ નામ પાડે છે. કેઈનું નામ પાડે છે. કેઈનું નામ ગંગા, મોતી, નાથીયે, રતનીઓ પાડે છે. ગંગા, નાથીયે નામ બેલે, એટલે તે ચાલ્યા આવે. કેમ? તે શુતજ્ઞાન અને શબ્દજ્ઞાન થયું. પણ આગમ જ્ઞાન નથી. કેમ?
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy