SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત અનુભવ તે મરીચિપરિવ્રાજકને થએલે હતું અને તે અનુભવની વખતે દુનિયામાં બને છે તેમ ભીડને ભાંગવાવાળા ભેરુને ભેટવા તેને તાલાવેલી થઈ, પણ ઉત્તમપુરુષેની ઉત્તમતાને એ જ પ્રભાવ હોય છે, કે તેઓ ઉન્માર્ગ અને અધમપ્રવૃત્તિના વિચારવાળા લાંબો કાળ હેય નહિ, અને તેથી તે મરીચિપરિવ્રાજકનું નિરાધારપણું એમને એમ રહેવા છતાં જ્યારે તે આરોગ્યદશામાં દાખલ થયે ત્યારે તે પિતાના નિરાધારપણાને સર્વથા ભૂલી ગયા અને તેથી ગ્લાનદશા આવવા પહેલાં જેવી રીતે રાજકુમારાદિકેને સન્માર્ગને પ્રતિબંધ આપી મુનિ મહારાજાઓની ઉત્તમતા અને પિતાની અધમતા જણાવધાપૂર્વક સન્માવર્તી મહામુનિઓ પાસે ચારિત્ર લેવડાવતે હતા, તેવી જ રીતે તે મરીચિપરિવ્રાજક ગ્લાનદશામાં નિરાધારદશાને અનુભવ કર્યા પછી અને ભીડ ભાંગનારા ભેરૂને ભેળવવાની ભાવના થયા પછી પણ અનેક રાજકુમાર વિગેરેને પ્રતિબોધ આપી, સન્માર્ગ વર્તી મુનિમહારાજાઓની ઉત્તમતા અને પિતાની અધમતા જણવાપૂર્વક ચારિત્ર ગ્રહણ કરાવતો જ રહ્યો. જો કે પરિવ્રાજકપણું લીધું ત્યારથી જ એકાકી, અદ્વિતીય હેવાને લીધે તે મરીચિકુમાર પરિવ્રાજકની નિરાધારતા હતી જ, અને ગ્લાનદશામાં પિતાની તે નિરાધારતાને તેને પૂરેપૂરો અનુભવ થવા સાથે ભીડને ભાંગનાર ભેરૂને ભેળવવાની ભાવના થઈ પણ હતી, છતાં તે મરીચિન જીવની ઉત્તમતાને લીધે કે પરોપકારવૃત્તિની પરાકાષ્ટાને લીધે અથવા સ્વાત્માને અપકાર થએલે છતાં પણ અન્ય આત્માને અપકાર ન જ કર જોઈએ એવી વૃત્તિને લીધે અગર તે કોઈ પણ કારણથી તે મરીચિપરિવ્રાજક આરોગ્ય દિશામાં આવ્યા પછી પણ હમેશાં અનેક રાજકુમારાદિકેને પ્રતિબંધ આપી સન્માર્ગવત મુનિએની ઉત્તમતાની પ્રશંસા અને પિતાની અધમતાની નિંદા જણાવવાપૂર્વક સન્માવત મુનિઓ પાસે ચારિત્ર ગ્રહણ કરાવે છે. કપિલને ત્રણ વાર ધકેલે છે તેનું રહસ્ય જો કે કપિલરાજકુમારના પ્રસંગમાં ત્રીજી વખત પણ સન્માર્ગ
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy