SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજ્યોત પચ્ચ સંબંધી પાયાની વાત જેનેતર ચારિત્રને નવા પુણ્યનું કારણ કે ધર્મનું રૂપ માનતા હઈ ચંડાલ ચેકડીની યથાર્થ જાણકારી મેળવી શકતા નથી. એકંદરે જૈન-જૈનેતર બંને વ્રત, નિયમ, પ્રતિજ્ઞા માને છે, પણ જૈનેતર જે માને છે તે દાન ધર્મ રૂપે મરજીયાત, જ્યારે જેને “જેટલું હવાયું નહીં તેટલું મેલું” એમ માને જ્યારે જેનેતરે હાયા તેટલું પુણ્ય" એમ માને. આ જૈન-જૈનેતરની માન્યતાને પાયાને ફરક છે. આ વાત ધ્યાનમાં રાખી પચ્ચને સાચે અધિકારી કેણ? એ વાત હવે વિચારવાની છે. પચ્ચના અધિકારી તરીકે આચારસંપન્ન એટલે? પ્રથમ જણાવી ગયા છીએ કે-જે આચારમાં સમ્યક્ પ્રકારે વ્યવસ્થિત હોય તે પચ્ચને અધિકારી છે. તે આચારમાં વ્યવસ્થિત રહેવું એટલે શું? એ સમજવું જરૂરી છે. પચ્ચને વિશુદ્ધ રીતે આચરવા માટે પાંચ આચારનું યથાસ્થિત પાલન જરૂરી છે. એટલે જે જ્ઞાનાચારથી જાણતું ન હોય કે મારે શું પચ્ચ૦ કરવું છે? દર્શનાચારથી પચ્ચ૦ની મહત્તા માનતે ન હેય. ચારિત્રાચારથી પચ્ચ૦માં પ્રવૃત્તિ કરતે ન હોય, તપાચારથી પચ્ચન પાલનમાં આવી પડતા કો સહન કરતે ન હોય, વીર્યાચારથી પચ્ચની પ્રવૃત્તિમાં જેને ઉમંગ ન હોય. આ પ્રાણ પચ્ચ૦નું પાલન કરી જ શી રીતે શકે? તેથી પ૦ના પાલન માટે આચારની મર્યાદાઓમાં આવવું જરૂરી છે. પરચ તે જ લઈ શકે, પાળી શકે કે ટકાવી શકે છે કે આચારનિષ્ઠ બનવા સક્રિય હોય ! આ હિસાબે આ પાંચમા અધ્યયનમાં આચારની વાત વિચારવાની છે.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy