SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત સત્તા હોય તે મનુષ્ય તેટલી સત્તાને આધારે જ સજા કરી શકે અને મહાજન પાસે કેઈને પ્રાણ લેવાની, દેશપાર કરવાની કે કેદમાં બેસાડવાની સત્તા હતી નહિ અને છે પણ નહિ, અને હેત તે પણ જાનવરના બચાવને માટે મનુષ્યની મૃત્યુદશા કે મૃત્યુના જેવી દશાને અમલમાં મેલવા તેઓ ભાગ્યે જ તૈયાર થાત, છતાં તે ગેધન વિશેરેનો નાશ કરનારા કે તેના નાશ ઉપર જ તેના અવયથી નિર્વાહ કરનારા લેકેની સાથે વ્યવહાર બંધ કરી તેઓને અસ્પૃશ્યકેટિમાં રાખ્યા, એ કાર્ય મહાજને ઠેરના બચાવ માટે કરેલું હોય એ સંભવિત છે અને તે જ કારણથી તેવા લોકોની સાથે મહાજને મહાજનપણને વ્યવહાર તે શું પણ બીજે ખાનપાનાદિના સ્પર્શને પણ વ્યવહાર અલગ રાખે. આવી રીતે જે વ્યવહારભેદનું કારણ સત્ય માનીએ તે રાજામહારાજાઓએ નહિં કરેલી એવી ગેધન આદિ જાનવરની દયા મહાજને જગતમાં પ્રસરાવી છે. શ્રાવક મહાજનની વિશિષ્ટતા છતાં કોઈ પણ મહાજને કઈ પણ જગે ઉપર કોઈ પણ કાળે જગતના મનુષ્યના જીવન વ્યવહારમાં ઉપયોગી નહિ એવા કીડી, મંકોડી કે માખી વિગેરેના બચાવને માટે લેશ પણ ઉદ્યમ કર્યો હેય એને કઈ ઐતિહાસિક પુરા સાક્ષીભૂત નથી અને તે સંભવ પણ નથી કે કોઈ મહાજન તેવા બેઈદ્રિય, તેઈદ્રિય ચઉરિંદ્રિય, છ માટે કઈ પણ પ્રકારના રક્ષણને પ્રબંધ કરે. " કેટલાક સ્થાનના પવિત્ર જેનશાસનના પવિત્ર સંસ્કારોએ પવિત્ર થએલા શ્રાવકમહાજન તેવા બેઇદ્રિય આદિ નાના છના બચાવને માટે પણ પ્રયત્ન કરતા હતા, કરે છે અને ભવિષ્યમાં પણ કરશે છતાં તેઓની પ્રધાનતા બહુ થોડામાં હેઈ સર્વ મહાજન તરફથી તે બંદોબસ્ત થવા પામ્યું નથી. - જ્યાં જ્યાં શ્રાવકમહાજનની પ્રધાનતા રહી છે ત્યાં ત્યાં મનુષ્યના બચાવને માટે ગરીને પિષણ વિગેરેનાં સાધને, જાનવરોના બચાવને માટે પાંજરાપોળ, ગ, રેલ, દુષ્કાળ વિગેરે આપત્તિઓની
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy