SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧–લું વાસ્તવિક રીતે તે જેઓ પરમેશ્વરને સંદેશે–આપનારા કે લીલા કરનારા અગર જગને પેદા કરનારા માને છે, તેને પરમાર્થ રૂપે પરમેશ્વર જગવ્યાપક હોવા છતાં પણ પરમેશ્વરને અ૫ભાગમાં રહેવાવાળા શરીરને ધારણ કરવાવાળે માનવો જ પડશે. અને જે તેમ માનવામાં આવે તે તેની તે અવસ્થાની પૂજ્યતાની ખાતર, તે અવસ્થાની મૂર્તિ માનવી જ પડે. પિતાના મુખ કે દષ્ટિ આગળ પરમેશ્વરનું તેવું પ્રતિબિંબ રાખ્યા વગર કેની સન્મુખ વંદન, નમન આદિ કરે છે તે વિચારવાની ખાસ જરૂર છે. મુસ્લિમોના મતે સ્થાપનાનું મહત્વ ગોખલા વિગેરેની સ્થાપના કરીને પરમેશ્વરની સ્થાપના માનવામાં આવે તેમાં આડકતરી રીતે સ્થાપના તે મનાય છે, પણ કેઈ જાતનું પરમેશ્વરની આકૃતિ આદિનું દશ્ય હેતું નથી, એટલે ખરી રીતે “લસણ પણ ખાધું અને તાવ પણ ગયે નહિ” એ ન્યાય જેવી સ્થિતિ થાય છે. આ રીતે રાગદ્વેષવાળા સર્વજ્ઞ પરમેશ્વરને માનનારા લોકોની અપેક્ષાએ મૂર્તિની વંદનીયતા વિગેરેને વિચાર કર્યો, હવે વીતરાગ સર્વજ્ઞ ભગવાનને પરમેશ્વર તરીકે માનવાવાળાની અપેક્ષાએ મૂર્તિની વંદનીયતા વિગેરેને વિચાર કરીએ. વીતરાગ પ્રભુની મૂર્તિની પૂજ્યતા જેઓ પોતાના પરમેશ્વરને મોક્ષ જવા પહેલાં શેડ કે લાંબે કાળ સર્વજ્ઞ વીતરાગપણે વર્તવાનું માની સશરીર અવસ્થા માન્ય કરે છે, તેઓને તે જ સર્વજ્ઞ વીતરાગની સશરીર અવસ્થાને આકાર માન્ય કરે એ ન્યાયસંગત છે. - સ્થાપનાની પૂજ્યતા માટે અદ્દભુત તકે જેઓ પરમેશ્વરોને શાસ્ત્રકથન આદિ કરનારા માને છે, તેઓને પરમેશ્વરની સાકારતા માન્યા સિવાય છુટકે નથી. પરમેશ્વર જે એકાંતે નિરંજન, નિરાકાર હોય તે તેઓને કર્મ ન હોવાથી,
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy