SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ દરેક મતવાલાએ માને છે કે-દીક્ષાની નિશાની કુટુંબનું રેવું જ છે દીકરીને સાસરે મોકલે છે ત્યારે મા બાપ, બેન, ભોજાઈ રૂવે છે. વારૂ, કેમ મોકલે છે, વળી તમે જ પરણાવી છે. પછી શામાટે રૂ છે ? તે યોગ્ય કે અગ્ય? તમારી દષ્ટિએ તે તે પણ એગ્ય જ ગણાય. કે. કે. એક જ દિવસમાં ઘર ફેરવી નાખવું તે શું સારું ગણાય, પરણાવી તેને છેલ્લે દિવસે જુએ. પીયરનું ઘર ભુલી જાય છે. ને શ્વસુરગૃહ પિતાનું થઈ જાય છે. આ તમને ખટકતું નથી ને એક રાતમાં કે દિવસમાં ત્યાગ વૈરાગ્યથી દીક્ષા લે તે તે ખટકે છે ને તેને માટે અરરર થાય છે. એ કેવું હાસ્યાસ્પદ છે? તે વિચારજો. વાત એમ છે કે તે તમને કેડે સયું છે તેથી બેટા બહાનાં ઉભા કરે છે. વળી કેટલાએક કહે છે કે દીકરીને તે પાળીને મટી કરી છે ને ? ત્યારે શું પુત્રને પાળીને મોટે નથી કર્યો? તે બન્ને સરખું જ છે. દીકરી ને સાસરે વળાવતાં વિચાર કરે છે? તે પછી પુત્રને ધર્મના કાર્ય કરતાં શામાટે અટકાયત કરી છે ? પ્રશ્ન-કન્યા ને પુત્ર તેમાં ફેર તે ગણાય? દીકરી પારકું ધન છે વળી જગતને વ્યવહાર છે, કે તે પારકે ઘેર હોય. - ઉત્તર-દીકરીને પણ પારકે ઘેર આપતાં કામ પડે ત્યારે એક તે પારકે ઘેર આપવીને દશ હજાર ખરચવા. એ બધું કરે છે કે નહિં? દીકરાને માટે પણ પરણાવતાં દશહજાર ખરચે છે કે નહિ. માટે તે તે દીકરા દીકરીને અંગે સરખું જ છે. દીક્ષા લેવડાવવામાં દશહજાર ખરચ્યા ? ત્યારે શું વિષયકષાયનું પિષણ તમને ગમે છે પણ ત્યાગ વૈરાગ્યનું પિષણ ગમતું નથી ને? ત્યાં વાત આવીને ઉભી રહે કે પેટમાં દુઃખે છે. શ્રાવકની આદર્શ વ્યાખ્યા પ્રશ્ન-દીકરીને તે સાસરે જ વળાવાય પણ માબાપની સેવા કરનારને પાલનાર પુત્ર તેને એકદમ કેમ દીક્ષા લેવા માટે મોકલાય?
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy