SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનસ્થ સ્વર્ગત પૂજ્ય આચાર્ય આગમેદ્ધારકશ્રીના જીવન ચરિત્ર અને તાત્ત્વિક વ્યાખ્યાનના પ્રકાશન અંગે શ્રી આગામે દ્ધારક ભક્તિમંડળની વિશિષ્ટ યોજના વિ. નમ્રભાવે જણાવવાનું કે, , જેઓએ આગમનું સંશોધન, મુદ્રણ, કરાવવા સાથે સામુદાયિક વાચનાઓના વિશાલ આયોજન કરીને અધિકારી ભવ્યાત્માઓને આગમતત્ત્વની જાણકારીને લાભ આપે અને પાલીતાણું-સુરત આગમમંદિરમાં આરસની શિલાઓ અને તામ્રપત્ર પર કાતરાવીને આગમોને ચિરંજીવ બનાવ્યા. - જેઓએ વિવિધ આગ ઉપર ઝીણવટભરી તાત્ત્વિક છણાવટ સાથે ખૂબ જ માર્મિક વ્યાખ્યા આપી આરાધાની તાત્વિક દૃષ્ટિનું ઘડતર કર્યું. જેઓએ જીવનના છેલ્લા શ્વાસ સુધી શાસનની અખંડ સેવા કરી, અનેક સ્વપક્ષ-પરપક્ષના આક્રમણને રોકવા ભગીરથ સફળ પુરુષાર્થો આદર્યા. જેઓએ હજારો તાત્ત્વિક શ્લેકે અને સેંકડે ગ્રંથની રચના કરી અને છેવટે કોઈને માન્યામાં ન આવે તેવી અદ્ભુત સમાધિ છેલ્લા પંદર દિવસ અર્ધ પવાસને કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેવા દ્વારા જાળવી મરણને પણ ધન્ય બનાવ્યું. તે અપ્રતિમગુણગરિમશાલી આગમાદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતના સર્વાગ સંપૂર્ણ કલાસમૃદ્ધ વિવિધ માહિતીપૂર્ણ જીવનચરિત્રના પ્રકાશન માટે આ યોજનાનું ઘડતર કર્યું છે. વળી વિષમ કલિકાલમાં ભવ્ય જીવોને પરમ આલંબનરૂપ જિનવાણીના સંકલનરૂપ આગના ગૂઢ, તલસ્પર્શી, માર્મિક અને સૂક્ષ્મ વિવેચથી ભરપૂર પૂ આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાના બહોળા સંગ્રહને આગમતત્વ જિજ્ઞાસુ પુણ્યાત્માઓના કરકમલમાં પહોંચતો કરવા માટે “આગમ ત” નામે વૈમાસિક પ્રકાશનની યેજનાને વ્યવસ્થિત બનાવવા માટે પણ આ પ્રયાસ પેજના વિચારાઈ છે.
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy