SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ હતી કે ગુણ કે વિદ્યા દ્વારા ઉત્પન્ન થતી ભાવનાને હૃદયમાં ધારણ કરી ભક્તિભાવમાં તરમાળ થવુ, જ્યારે સંસારી પડતા અને વિદ્વાના ખીજા વિદ્વાનેા સાથે સરસાઇમાં ઉતરીને ભક્તિને બદલે ખીજાની વિદ્વત્તામાં ખામી શેાધવામાં ચિત્તને કેન્દ્રિત કરે છે. એવા વિદ્વાનાને સાહિત્ય કેવળ વાવલાસ છે, જ્યારે પૂ. આચાર્ય ભગવંતને વિદ્યા અને જ્ઞાન ભક્તિનું સાધન હતા. ગમે તેટલી મેાટી માછલીને અગાધ જળથી છલકાતા મહાસાગરના પાણીના માપના ખ્યાલ ન આવી શકે તેમ સામાન્ય મનુષ્યને તેમની વિદ્વત્તાના ખ્યાલ આવવા ઘણા કઠણ છે. તેમના રચેલા સંસ્કૃત ગ્રંથા-પ્રાચીન સમયના ઋષિમુનિએ જેમણે તપેાવનમાં અનેક વર્ષો શાંતિમય રીતે ગાળીને શાસ્ત્રો રચ્યા, તેમ તેમને પગલે ચાલીને દેશને ખૂણે ખૂણે ફરતા, સંસા રીઓ વચ્ચે આધ આપતા સમય કાઢીને રચ્યાં છે. દ્વાદશારનયચક્ર ગ્રંથ પરની માટીકા તેમનું હજારો વર્ષો સુધી ટકે તેવું અમર અને ભગીરથ સર્જન છે. સંસ્કૃત ભાષા ઘણી કઠિન ભાષા છે અને ભારતીય સંસ્કૃતિની જનેતા છે. એ ભાષાનું મીજું નામ અમરભારતી (દેવવાણી ) છે, એ દેવાણીમાં-ઉચ્ચ પ્રકારના સંસ્કૃતમાં અતિકઠિન ન્યાય જેવા વિષય ઉપર તેમણે રચના કરી. ઉપરાંત, તત્ત્વન્યાયવિભાકર, બૈરાગ્યરસમાંજરી જેવા ગ્રંથરત્ના રચીને વર્તમાન યુગમાં કે જ્યારે સત્ર ધન, દોલત, મેહવાસના, અભિમાન, માયા, ક્રોધના તાંડવ ચાલી રહ્યા છે ત્યારે તેમણે ખરે જ અમૃતકુંભની રચના કરી છે. સૂર્યના પ્રકાશના બળના ખ્યાલ ત્યારે જ જ્યારે રાત્રીના ધાર અધકારના આવે કલ્યાણ : જન્યુઆરી ૧૯૬૨ : ૮૬૫ નક્કર ખ્યાલ આપણે પચાવ્યેા હોય. અને ત્યારે સૂર્ય ની શક્તિ આગળ નમન થઈ જાય. તેમ વર્તમાન વિષમ સસાર જેમાં થોડા ચાંદીના ટુકડા માટે માણસ માણસનું ખૂન કરે છે અને એવા અંધાપામાં માણસને માતની સજા પણ દેખાતી નથી, ધનવાના સવારથી સાંજ નીતિના નિયમોને નેવે મૂકી ધન મેળવવા હવાતિયાં મારીને મરતી વખતે ટાંકણી પણ સાથે લઇ જવા અસમર્થ નીવડે છે, કામિનીની નેત્રપલ્લવીના મેડમાં જીવનપ્રવાડ પાણીની માફક વહી જતા હાય, ધર્મોનું નામ સાંભળતા નાકનું ટેરવું ઉંચુ ચઢાવી સૂગ બતાવાતી હાચ, બાળકાને સીનેમા નાટકમાંથી સંસ્કાર અને શિક્ષણ મળી રહેતા હોય, વિનાશમાંજ વિકાસ ને શક્તિ સિદ્ધ થતી હાય, બેઘડી માટે પાપી પેટનો ખાડો પૂરવા નિર્દોષ ભેાળાં મૂગાં પ્રાણીને રહેંસીને તેના મુડદાંથી ભૂખ સતાષાતી હેાય—તેવા અતિમલીન, અતિક્રૂર, અતિનેિજજ, અતિલેલી, માયાવી અડુ કારી, આડંબરી, અને અતિઅપવિત્ર વમાન સસારમાં એક એગણીસ વર્ષીના નવયુવાને દામ્પત્ય સુખની કલ્પનાને ઠોકરે ચડાવી, માતા અને અન્ય સગાની મમતાને નકારી, ધનદોલત મેળવવાના અજપાને મૂર્ખતા ગણી, ધ ને જ પરમમંગલ તરીકે સ્વીકાર્યું. પૂજય આચાર્યં ભગવતે પંજાબમાં અને અન્ય સ્થળાએ માંસભક્ષી માંધાતાઓની ઝાટકણી કાઢીને માંસભક્ષણના મહાપાપમાંથી દૂર કર્યા. વિશ્વનું રિબળ રાકવું સહેલું નથી. વાસનાના પૂળાથી ખડકેલા સંસાર દાવાનળમાંથી આગની આંચ લાગ્યા વિના ખચીને ભાગવું સહેલું નથી. ગગાયમુનાના ગ્રીષ્મૠતુના પ્રમળ પ્રવાહમાં ઊલટી ક્રિડામાં તરીને કિનારે પહોંચવુ સહેલું નથી
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy