________________
जैनहितेच्छु.
•
E
,
પુરાક ૨૧-૨૧ ડિસેમ્બર ૧૯૧૯ થી સણખાર ૧૯૨૦,
પ્રસ્તાવના.
કટાર, ૧૮૧૮ માં, વાચક ! આપી છેલ્લી મુલાકાત થઈ હતી. ત્યાર પછડિસેમ્બર ૧૮૧૮, માર્ચ ૧૯૨૦ તથા જુન ૧૯૨૦ એમ ત્રણ વધુ મુલાકાતની આશા રાખવાને હમને હક્ક હતા. એ આશા બેટી પડી છે–શું હું ગુન્હેગાર ' નથી,? શું મહને તે માટે “પશ્ચાત્તાપ એ જોઈને નથી ? -
“નાહમે આશા નહિ રાખી હોય એવો જવાબ આપતાં હું કહીશ “હરગીઝ નહિ.” “આશા” તે શું પણ “વચનની યે સફલતા કરવી એ શું આજકાલ રજ” કે “નીતિ મનાય છે? ટકી બાબતમાં આપણા ઈષ્ટદેવ સરકારે આપેલું વચન શું પળાયું છે? અગર વચન ઇરાદાપૂર્વક તેડવા Mાં એ માટે જરા પશ્ચાત્તાપ પણ બાપુને થયો છે? એક યુદ્ધ વડે સહાનાં યુદ્ધો રેકવાની આશા આપનાર મિત્રરાજ્યએ આશા ફળીભૂત કરી છે ? પેલા બબલા અને ધમમક્તિ તરીકે અમેરિકાના સ્વર્ગમાંથી ઉતરી આવેલા વિલ્સન દેવે શરૂઆતમાં આપેલી આશા ચરિતાર્થ કરી છે ? યુદ્ધના કટોકટીના વખતમાં હિં, દને અને આયડને અપાયેલી સંગીન આશી પરિપૂર્ણ થઈ છે ?
આશા ? ભલા થઈ હારા સિવાય અન્યત્ર જ એ વાત ઉચ્ચારજો! આશાને ચરિતાર્થ કરવા કોઈ બંધાયેલું નથી એ જમાનામાં હમે મને જ પશ્ચાત્તાપ કરવાને બંધાયેલો માને તે હું કેમ સ્વીકારું ? જીવતી જાગતી દુનિયાને વ્યવહાર છેડી શું હું એક જ “આદર્શની કલ્પિત દુનિયામાં ભટકું એમ હમે ઇચ્છાતે પણ હજીએ-હમેશને માટે ? અને ભલા એ તે કહે કે હું હારે વચન આપ્યું હતું કે હું હમને નિયમિત વાચન આપીશ જ ? શુંરોથી વધારે અનિયમિત હોવાને એકરાર હું મૂળથી જ કરતે . આ નથી ?