SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ હિતશિક્ષા આપે જીવન શિક્ષા એટલે આચાર-વિચાર, ખાવા-પીવામાં કે ઈન્દ્રિયનો વિષયોમાં લોલુપ ન હોય, શાંત પ્રકૃતિવાળો હોય અને સત્યપરાયણ-સત્યમાં રતિવાળો હોય તે આત્મા શિક્ષાને માટે યોગ્ય કહેવાય. શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૭ ગુર્વાદિ વડિલોની હિતશિક્ષા જેને ગમે તે આત્મા ઉત્તરોત્તર આત્મગુણ સંપતિથી સમૃદ્ધ બનતો અંતે નિર્વાણને પણ પામે છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં પણ કહેવાયું છે કેआलोयण निरवलावे, आवईसु दड् ढघम्मया । अणिस्सि ओवहाणे य, सिक्खा निप्पडिकम्मया ॥ १ ॥ अण्णा यया अलोभे य, तितिक्खा अज्जये सूई । सम्मदिठ्ठी समाही य, आयारे तिणओवए ||२|| धिई मई य संवेगे, पणिहि सुविहि संवरे । अत्तदो सो वसं हारे, सव्वकामविरत्तया ||३|| पच्चक्खाणे विउस्सग्गे, अप्पमादे लवालवे । ज्झाणसं वरजोगे य, उदए मारणं तिए ||४|| संगाणं य परिण्णाया, पायच्छित्तकरणे विय । आराहणा य मरणंते, बत्तीसं जोगसंगहा ॥५॥ (શ્રી સમ૦સૂ૦૩૨) 1 · જાણ્યે-અજાણ્યે થયેલ દોષને સદ્ગુરુ આગળ પ્રકાશિત કરી પ્રાયશ્ચિત લેવું અને પૂરૂં કરવું. ૨- કોઈની પણ આગળ પોતાની મોટાઈ કહી બતાવવી નહિ. ૩- આપત્તિઓના વાવાઝોડામાં પણ મેરૂપર્વતની જેમ સ્વધર્મમાં મક્કમ રહેવું-સ્વધર્મથી ચલિત થવું ના. ૪- આ લોક કે પરલોક સંબંધી સુખ-સમૃદ્ધિની ઈચ્છા રાખ્યા વિના ઉપધાન-યોગોદ્દહન, તપ-જપ કરવાં. ૫- સૂત્રાર્થના ગ્રહણ રૂપ નિર્મલ બોધ ધારણ કરવો. શરીરની જરાપણ સાર-સંભાળ, આળ-પંપાળ કે ટાપ-ટીપ કરવી નહિ. ૭- તપ-જપ-વ્રત આદિ કરી, પોતાની વાહવાહ બોલાવવા ખાતર બીજાને કહેવા નહિ. ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં અધિક લોભી કે તેમાં ખાસક્ત-વૃદ્ધ બનવું નહિ. ૯- ડાંસ-મચ્છર આદિ અનેક પ્રકારના પરિષહો મજેથી = ૭ તા. ૨૬-૧૧-૨૦૦૨ સહનકરવા. ૧૦- કપટ-દગા રહિતપણે નિર્મલ ઉચિત વ્યવહાર કરવો. ૧૧- સાચા સંયમનું આચરણ કરી શુદ્ધ રહેવું. ૧૨- શ્રદ્ધામાં અશ્રદ્ધા આવી ન જાય માટે સાવધ રહેવું. ૧૩- સ્વસ્થ-શાંતિચિત્તવાળા બની જીવન જીવવું. ૧૪- સદાચારી બનવું. ૧૫- વિનયી બનવું. ૧૬-ધૈર્યવાળી મતિ રાખવી. ૧૭- સંસારના સુખો પ્રત્યે ઉદાસીનતા કેળવી, મોક્ષની જ ઈચ્છાવાળું હૈયું બનાવવું. ૧૮- મન, વચન, કાયાથી થતાં અશુભ વ્યાપારોને રોકવા. ૧૯- સદાચારનું સેવન કરવું ૨૦- હિંસા, અસત્ય, ચોરી, પરિચય,મમત્વાદિથી થતાં પાપોને રોકવા. ૨૧- આત્માના દોષોને શોધી-શોધીને દૂર કરવા. ૨૨- સર્વ પ્રકારની ઈચ્છાઓથી અલિપ્ત રહેવું. ૨૩- ત્યાગધર્મમાં સદૈવ આગળ વધ્યા કરવું. ૨૪- સઘળી ઉપાધિઓથી રહિત બનવું ૨૫- ગર્વનો ત્યાગ કરવો. ૨૬- એક ક્ષણનો પણ પ્રમાદ ન કરવો. ૨૭- આજ્ઞામુજબનાં અનુષ્ઠાનોમાં રત બનવું. ૨૮- ગહન સિદ્ધાન્તોના ગંભીર આશયો અને ઊંડા અર્થો વિષે હંમેશા વિચાર કરવો. ૨૯- મૃત્યુ સમયે પણ કર્મોનો અવરોધ કરનાર શુભ કર્મરૂપી સંવરનો વ્યવહાર કરવો. ૩૦- સ્નેહી-સંબંધી-સ્વજનોના સંગથી ઉત્પન્ન થતાં સ્નેહના પરિણામને સમજી લઈતેનો ત્યાગ કરવો. ૩૧- અજાણતાં થયેલ ભૂલોનું પણ પ્રાયશ્ચિત કરવું. ૩૨- અંતિમ સમયે વિશિષ્ટ આરાધનાથી આત્માને ભાવિત કરવો. આરાધનામાં આગળ વધવા આ બત્રીશ શિક્ષાપદો જ્ઞાનિઓએ કહેલા છે. જેનો પરમાર્થ ગુર્વાદિ વડિલોની સેવા-ભક્તિથી પ્રાપ્ત વાચના અને હિતશિક્ષાથી સમજાય છે. તે પ્રમાણે જીવનાર આત્મા અલ્પ સમયમાં નિર્વાણને પામે છે. ૮૫૨
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy