SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદેવ ડિ ચરિત્ર..... શ્રી જૈનશાસન (અઠવાડીક) | છે. તેથી હવે તેને આપી શકાય નહિ. રાણી બીલ્વફળો જોઇ બહુ ખુશ થઇ. અને તેના ઉત્પત્તિ સ્થળે જવા રાજાએ કહ્યું. પ્રધાનોના વારવા છતાં રાણીના આગ્રહથી રાજા ત્યાં ગયો. અને બીલ્વ ફળો લીધાં ત્યાંતો કુલપતિ ચંડકૌશિકે રાજાને શાપ આપ્યો કે તે અમારૂ ઉદ્યાન લુટ્યું છે તેથી મૈથુન વખતે તારા માથાના સો ટુકડા થઇ જશે. ભય પામી રાજા દેવીને મંજુલા ધાત્રી સાથે દીક્ષા લઇ તાપસ બન્યો રાજાના વલ્કલમ. શુક્ર પુદ્ગલ આવ્યું તે દેવીએ પહેર્યું તે પુદ્ગલ યોનીમાં પ્રવેશ થતાં દીકરી જન્મી તેનું ઋષીદત્તા નામ પાડ્યું. | * વર્ષ : ૧૫ અંક : ૧૯ * તા. ૧૮-૩-૨૦૦૬ | ગયો. વ્યંતરીએ પિતા તથા પતિને બોધ પમાડયો. બળદેવે આવી ચંડકૌશીક સર્પ તરીકેની પોતાની ઓળખ આપી અમોધરથ રાજા તાપસ મટી સાધુ થયો. દેવી વસુદેવને કહે છે. જે પેલો બાળક હતો તે જ આ એણીપુત્ર રાજા છે અને હું જ્વલનપ્રભદેવની ભાષ નાગિની છું. વસુદેવના કહેવાથી તેણી એ સગરના પુત્રોએ અષ્ટાપદથાં ખાઇ ખોદી અને તેઓ બળી મુઆ વગેરે તથા સિદ્ધ ગંડીકા કહી બતાવી એણીપુત્રે મને (નાગિની દેવીને) આરાધી પુત્રીની યાચના કરી તે વખતે નાગરાજધરણ અષ્ટાપદ પર્વત પર જતો હતો હું પણ ત્યાં ગઇ ત્યાં આવેલ અવધિજ્ઞાની મુનિઓને નાગરાજે પોતાનું ભાવિ પુછતાં તેઓએ કહ્યું કે “તમો ઐરવતક્ષેત્રમાં ચોવીસમા તીર્થંકર થશો. તમારી અલ્લા શિવાયની પાંચ અગ્રમહિષીઓ તમારા ગણધર થશે. અલ્લા ચ્યવીને એણીપુત્ર રાજાની પુત્રી પ્રિયંગુ સુંદરી મશે અને તે કૃષ્ણવાસુદેવના પિતા વસુદેવની સ્ત્રી થશે. છેવટે દીક્ષા લઇ મોક્ષે જશે. | રાણી કાળધર્મ પામી ત્યારે તાપસે ઉછેરી મોટી કરી. કોઇ ચારણ મુનિના ઉપદેશથી તે શ્રાવિકા થઇ. ત્યાં આવેલ પોતાના ભાણેજ શીલાયુદ્ધ સાથે ઋષીદત્તાને પરણાવી. અન્યદા ઋષીદત્તાને ગર્ભ રહ્યો. શિલાયુદ્ધ પોતાના સ્થાને ગયો. વિષફળનો આહારકરવાથી મંજુલા ધાત્રી મરણ પામી. ગર્ભનો જન્મ થતાં ઋષીદત્તા મરણ પામી. તેથી તેનો પિતા મૂર્છા પામ્યો. મૂર્છા વળતાં કુમારને ખોળામાં લઇ રૂદન કરતો હતો. ઋષીદત્તા વ્યંતરી થઇ. તેણે મૂગીનું રૂપ લઇ બાળકના મોઢા આગળ સ્તન રાખી ઉભી | રહી. તે તઇ તાપસ રાજાને શાન્તિ થઇ. બાળક મોટો થયો એકવાર તે સમધિ લેવા ગયો ત્યાં સર્પ કરડ્યો. દેવીમૃગી એ આવીને તેનુંવિષે ઉતારી જીવાડ્યો. તેણીએ હ્યું કે હે પુત્ર હું પૂર્વે ઋષીદત્તા હતી પછી | સર્પને તર્જના કરી કહ્યું કે હે ચાંડાલચંડકૌશીક ? હજી પણ ક્રોધ ત્યજ્જો નથી. તેના ઉપદેશથી સર્પ અનશન કરી મૃત્યુ પામી નંદનવનમાં બલકૂટ ઉપર બળ નામે દેવ થયો. શ્રાવસ્તી નગરીમાં શતાયુધ રાજા કાળધર્મ પામતાં શીલાયુધ રાજા થયો. | ઋષીદત્તા વ્યંતરી તાપસીનું રૂપ લઇ પુત્રની સાથે શીલાયુધ રાજા પાસે જઇ કહ્યું કે આ તમારો પુત્ર છે એમ કહી અદૃશ્ય થઇ ગઇ. તે વખતે આકાશવાણી થતાં રાજાએ પુત્રને સાચો માની સેવકોને સોંપ્યો. રાજા વ્યંતરીને શોધતો આશ્રમ સુધી ? મેં કહ્યું કે અન્ના અને ધરણ પૂર્વભવે કોણ હતાં ત્યારે તેઓએ કહ્યું કે મથુરા પાસે સુગ્રામમાં સૌમ્ય બ્રાહ્મણને સોમૃદત્તા સ્રીથી ગંગશ્રી નામે પુત્રી થઇ. યક્ષીલ નામે બ્રાહ્મણે તેનું માગું કર્યું પણ તે મળી નહિ તેથી તે પરિવ્રાજક થયો. ગંગશ્રી સાધ્વી થઇ તેથી તે પરિવ્રાજકે પણ દીક્ષા લઇ સાધુ થઇ કાળધર્મ પામી ધરણેન્દ્ર થયો. ગંગશ્રી તેજ ધરણેન્દ્રની અલ્લા ના મે અગ્રમહિષી થઇ છે. પ્રિયંગુ સુંદરી ઉમરલાયક થતાં તેનો સ્વયં પર રચવામાં આવ્યો. જરાસંઘ વગેરે રાજાઓ આવ્યા. પ્રિયંગુસુંદરીને કોઇ ગમ્યો નહિ. તેથી તે બધા રાજાઓ એણીપુત્ર સાથે લડતાં હારીને નાસી ગયા. પછી એણીપુત્રે મને પુછ્યું કે શું કારણથી આ કન્યા કોઇને ઇચ્છતી નથી. મેં કહ્યું તેણીનો ભર્તાર હજુ આવો નથી. આવશે ત્યારે જણાવીશ. પછી તમે બંધુમત ને પરણ્યા. પ્રિયંગુસુંદરીએ તમને જોયા. તેથી કમ પીડીત બની અઠ્ઠમ કરી મને આરાધી. તમારો મેળ પ ૧૧૬૩
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy