SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ ૧૫ * અંકઃ ૧૭ * તા. ૨૫-૨-૨૦૦૩ મ. આદીનું ઉટી નગરીમાં યશસ્વી ચાતુર્માસ કરાવી કા.વ માં વિહરા કરી કરી કુન્નુરમાં સ્થિસ્તા થતાં વીસ સ્થાનક પૂજન, પ્રભાવના આંગી રચના થઈ હતી. ત્યાંથી વિહાર કરી અત્રે મા.વદ પના સસ્વાગત પધાર્યા હતા. પૂ. આચાર્ય ક મહારાજની નિશ્રામાં પોષ દશમની આરાધના નિમિત્તે ત્રણ દિવસ અઠ્ઠમ તપ એકાસણાં જાપ, પૂજા આંગી રચના, રાત્રિના ભાવના અને વદ–૧૨ના પારણાં અને બહુમાન થયાં હતા. પૂ.આ.શ્રી અમરસેન સૂ. મ.ના વ્યાખ્યાન થયા હતાં. પૂ.આ.શ્રી અશોકરત્ન સૂ.મ.ને થોડી હાર્ટની તકલીફ હોવાથી એનો ઈલાજ કુપે સ્વામી નાયક હોસ્પિટલમાં હ્રદય રોગ નિષ્ણાંત ડો. રાજપાલ જૈને એન્જોગ્રાફી કરીને સ્ટેન્ટ બેસાડયો હતો. પૂ. દેવગુરુ પરમ ભકત શા. વિજયચંદજી ઝાબકે તન મન ઘનથી લાભ લીધો હતો. પૂજય શ્રીનું સ્વાસ્થ્ય સુધારા પર છે. શરણાલય આશ્રમ થઈ પૂ.આ.વિ. આદિ પોષ શુદમાં વિહાર કરી ઉટીમાં થોડી સ્થિરતા કરી મહા સુદમાં મૈસુર પધારવાની ભાવના છે. આચાર્ય દર્શનરત્નસૂરીશ્વરજી મહારાજાન શુભનિશ્રામાં શાસનની જય જયકાર કાર્તિક સુદ પ્રથમ પૂનમ ૧૯-૧૧-૦૨ને ચાર્તુમાસ પરિવર્તન કાલૂરામજી મામાને ઘેર વાજતે ગાજતે કરી. કાર્તિક * સુદ ; બીજી પૂનમે વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે કરમદી તીર્થની યાત્રા કરી. હતનારા નગરીમાં કાર્તિક વદ ૧૦ દિ. ૨૯-૧૧-૦૨ની ભવ્ય પ્રતિષ્ઠા તથા બૌદા (રતલાલ જિલામાં) ત્યાં માગસર સુદ-૬ દે. ૯–૧૨–૦૨ને ભવ્ય પ્રતિષ્ઠા તથા રેકોર્ડ રૂપ ચઢ વવાઓ થયેલ ત્યાં નિશ્રા આપી બડૌદ ગિરનારજી રસ્ત છ'રી પાલેત સંઘના ઉપાધ્યક્ષ મનોજભાઈ જાવરાવાલાની આગ્રહથી તથા સંઘપતિઓની વિનંતીથી માગસર સુદના ૧ રવિવાર દિ ૧૫-૧૨-૦૨ થી પોષ સુદ-૧ દે. ૩-૧-૦૩ વડાલી (ગુજરાત) સુધી (મંદસૌર થી કેશરીયાજી ઈડર થઈ વડાલી સુધી) છ'રી પાલેત સંઘમાં નિશ્રા અર્પણ કરી. છેલ્લે દિવસે સંઘપતિઓએ ગુરૂદેવને કામલી વહોરાવી તથા વડાલી શત્રુંજય ધામ તીર્થપર વહીપણ કામલી વહોરાવવામાં આવેલ. દરરોજ સંઘમાં સમાચાર સાર સાંકળો પૂરવાર થવા માંડયો હતો. 'પ્રાર્થનાસૂત્ર : જીવનસૂત્ર' વિષય પરના પ્રવચનોને શ્રોતાગણને એવા જકડી રાખ્યાં હતાં કે પર્યુષણા ર્વ જેવી પ્રવચન સભાઓ શેષકાળમાં દૈનિક ધોરણે થઈ રહયાંના અભિપ્રાય સંઘના મુરબ્બીઓએ આપ્યા હતાં. પો.સુ.૯ના શ્રી સિદ્ધચક્ર પૂજન ભણાવવામાં આવ્યુ હતું. તથા સાધર્મિક વાત્સલ્ય હતુ. મહોત્સવ દરમ્યાન જિનભકિતની રમઝટ પણ સુંદર જાો હતી અને ત્રણ છોડોનું ભવ્ય ઉદ્યાપન પણ યોજાયું હ.તું. મલાડ (રત્નપુરી) :- દીક્ષાના દાનેશ્વરીની દીક્ષા સમૃતિદિન નિમિત્તક ગુણાનુવાદ સભામાં ચોકકસ સંસ્થાના અસહકાર વચ્ચેય અને ચોકકસ વર્તુળના વિરોધ વચ્ચે પણ 'સુરિરામ'ના નિષ્ઠાંવત વારસદારોએ મલાડ (રત્નપુરી) ખાતે ામલીલા-મેદાનમાં પરમગુરૂદેવના દીક્ષા-પુન્યસ્મૃતિ દિને એક ભવ્ય ગુણાનુવાદ સભા આયોજી હતી. પૂ.મુ.શ્રી પુન્યકીર્તિ વિ.મ. તેમજ પૂ.મુ. શ્રી ભવ્યવર્ધન વિ.મ.એ સામૈયા સાથે પધારી ગુણાનુવાદ સભામાં નિશ્રા અર્પી હતી. સભાના પ્રારંભસમયે જ સંગીતકાર શ્રી સતીશભાઈએ "દીક્ષાના હૈ દાનેશ્વર' ગીતની પોતાના ધુર કંઠે પ્રસ્તુતિ કરી હતી. ત્યારબાદ પૂ.મુ.શ્રી હિતવર્ધન વિ.મ.એ તેમજ પૂ.મુ. શ્રી પુન્યકીર્તિ વિ.મ.એ પરમ ગુરૂદેવના ગુણોનું સંકીર્તન કર્યુ હતું. પ્રાન્તે, પધારેલા તમામ સાધર્મિક ભાઈ–બહેનોને ૫૦૦ ગ્રાન ખજૂરના પેકેટસની તેમજ રૂ.૭ની પ્રભાવના કરવામાં આવી હતી. શેઠશ્રી પ્રાણલાલ છગનલાલ શાહે મોટી રકમ બોલી ગુરૂપ્રતિકૃતિના ગુરૂપૂજનની ઉછામણીનો લાભ મેળ વ્યો હતો. રત્નપૂરી જિનાલયમાં તથા રાજેશપાર્કમાં જિનાલયમાં પ્રભુજીને ભવ્ય અંગરચના કરવામાં આવી હતી. કોઈમ્બતુર ઃ– પૂ. આ.શ્રી વિજય અશોકરત્ન સૂરીશ્વરજી ૧૧૫૧ સ x
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy