SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આ સમર્થ ભાષ્યકાર.. શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૧૨ સમર્થ ભાગ્યકાર સરંદેશ! - પૂ. સા. શ્રી અક્ષયગુણાશ્રીજી મહીં જેનશા નિ તો જ્ઞાનનો ખજાનો છે. ગમે તેટલું લુટો પણ તે છું થાય જ નહિ. જ્ઞાનનો વારસો એ જ સાચો વાર તો છે. જ્ઞાન જેમ આપો તેમ વધે પણ - ઘટે નહિ તે જ તેની અપૂર્વ મહત્તા છે. સિંહણનું દૂધ સુવર્ણપાત્રમાં સટકે તે ન્યાયે જૈનશાસનનું સમ્યજ્ઞાન સમર્થ રારિદેવ પારો જ ટકે અને પચે! આવા જ એક સૂરિવેશ એટ જૈનશાસનમાં જેમની સમર્થ ભાણકાર તરીકે ખ્યાતિ છે અને જેઓ નિપુણ તર્કવાદી હોવા છતાં પણ આગમ' ધાન હતા. આગમ ઉપર અપૂર્વ અહોભાવ-આ રભાવ હતો. તેથી જ તેઓ અગ્રેસરની કોટિમાં આવી ત્યાઆગમ એજ આપણા માટે આધાર તેમના ૬ વન ઉપર વિશેષ હકીકત પ્રાપ્ત થતી નથી. પરન્ત ૫ શ્રી સિદ્ધચેન ગણિવરે શ્રી જીવકલ્પની * ચૂર્ણિમાં તેઓ ની પ્રશંસારીવના કરતાં કહ્યું કે-“શ્રી જિનભદ્રગણિ તમામણ અથગમના ધારક હતા, યુગપ્રધાન હતા, જ્ઞાનીજનોમાં મુખ્ય હતા, દર્શનાપયોગ અને જ્ઞાનોપય ગના વિશિષ્ટ જ્ઞાતા હતા, સુવાસથી આકર્ષાઈને જે બ્રિમરો કમળને સેવે છે તેમ જ્ઞાનરસના પિપાસુ મુનિર ૧ શ્રી જિનભદ્રગણના મુખમાં ઘી નીકળેલા જ્ઞાન પ્રતનું પાન કરવા સદ ઉસુક રહેતા હતા, સ્વરમય પરસમય આદિ વિવિધ વિષયો પર આપેલાં ભાઇ- નોથી તેમનો યશ દશે દિશાઓ માં ફેલાયો હતો. તે ણે પોતાના બુદ્ધિબળથી આગમોનો || સાર વિશેષાવશે ક ભાગમાં ગૂંથેલો છે. છેદ સૂત્રોના આધારે પ્રાયશ્ચિમ નાં વિધિવિધાન સંબંધી જીતસૂત્રની દ તેમણે રચના કરી છે. આ રીતે અનેક વિશેષતાઓના સ્વામી આગમવે તા સંયમશીલ ક્ષમાશ્રમણોના અગ્રણી ( શ્રી જિનભદ્રગાળીને હું નમસ્કાર કરું છું.” આ વિશિષ્ટ વ્યકિતની વિશિરતા માટે આ માહિતી ઘાણી પૂરક છે. પૂ. શ્રી કલિકાલ સર્વજ્ઞ પણ તેઓશ્રીની પોતાની કતિમાં પ્રશંસા કરી છે. આગમિક શૈલીમાં નિર્યુકિત પછી ભાષ્યનો ક્રમ આવે છે. નિર્યુક્તિની જેમ ભાગ પણ પદ્યબદ્ધ પ્રાકૃતમાં હોય છે. નિર્યુક્તિના અર્થોને ભાગ અધિક રીતના સ્પષ્ટ કરે છે. આપણા ચરિત્રકારશ્રી વિશિષ્ટ કોટિના ભાગકાર હતા. તેમના પછીના અનેક પૂજા આચાર્યોશ્રીએ તેઓને ઉચ્ચકોટિના ભાખ્યકાર તરીકે સ્તવ્યા છે. અમારા પરમતારક પરમગુરૂદેવેશ સ્વ. પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તો કહેતા કે “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય એ તો શ્રી જૈનશાસનનો અર્થભૂત ગ્રન્થ છે, આગમિક પદાર્થોનો આકર છે.” તેઓશ્રીએ ૧- વિશેષાવશ્યક ભાગ મૂળ ૨- વિશેષાવશ્યક ભાગ ટીકા | (ટીકાનો તેમણે પ્રારંભ કરેલો પુરતુ છક્રે બગધરના વકતવ્યની ટીકા બાદ તેરશ્રીનું સ્વર્ગમન થવાથી પૂ. શ્રી કોટયાર્ચે બાકીની ટીકા ૧૩ શ્લોક પ્રમાણ રચી 11 કરેલ છે.) - ગૃહસંગ્રહણી ૪ - બ્રહક્ષે રામાસ ૫- વિશેષવતી - ભાગ સહિત ૬- નિશીષ ભાખ - જીતકલ્પ ભાગ ૮- અનુયોગદ્વાર ચૂર્ણિ ૯- ધ્યાન શતક પ્રાપ્ત ઈતિહાસ મુજબ પૂ. ભાષ્યકાર બોનો વીરનિવણ સં. ૧૦૧૧માં જન્મ, સં. ૧૦૨૫માં યુગપ્રધાન પદ અને સં. ૧૧૧પમાં ૧૦૪ વર્ષની વયે સ્વર્ગગમન. આવા સમર્થ ભાષ્યકાર પૂ. શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણને ભાવભરી વંદના!
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy