SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ - ૮િ પરિચય પરિમલ શ્રી જૈન શાસન (અઠવાડીક) ૯ વર્ષ ૧૪ અંક ૨૩-૨૪ તા. તા. ૧૦-૩-૨૦d પરિચય પરિમલ મેર સમ અણનમ અડગતાના સ્વામી | ૧ ધીરતા વીરતા ગંભીરતા દક્ષતા જ જેમનું બીજું નામ છે સમય પગલે પગલે તાલ મિલાવવા અને સમયના સૂર જોઇને સૂઢ નું સુકાન બદલવું તે આધુનિક સંતપુરુષોની એક વિલક્ષણ ના છે. જ્યારે પોતાના ‘સ્વસમયને અનુરૂપ અઢાર-અઢાર યુગો સુધી જીવનનું - શાસનનું - સંઘનું સુકાન એકધારું સફળતાપૂર્વક ચલાવનાર યુગદષ્ટાયુગપુરુષ પરમ શાસન પ્રભ વક, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરી રિજી મહારાજાના વ્યક્તિત્વ - વિશિષ્ટત્ત્વનું આલેખન કરવું તે પંગુ માટે ઊંચા ઝાડ ઉપર ચઢવા જેવું છે. મેરુ સમ આણ મ અડગતા એજ જેઓના જીવનનું ઉમદા પાસુ છે. “સંયમ - શાસ્ત્ર - સિધ્ધિપદ': આ શબ્દ ત્રિભેટે ‘રામ-વિજ્ય ’ નામની હુલામણી એક વર્ષો બાદ કવચિત દેખાદેતી વિર મહાશક્તિ - વ્યક્તિનું સર્જન કર્યું. જેઓની સુવિશુદ્ધ શુદ્ધ શનાના પ્રચંડ સિંહનાદેઅનેક શાસ્ત્રસમર્પકસંરક્ષક વિરલ માત્માઓને જન્મ આપ્યો તો સમયના સાદે ચાલનારા વિરોધીઓને ત્રસ્ત કર્યા, જેમની એક પણ કારવાઇ ફાવવા ન દીધી. સમયને રંગ જોઇનેમુખફેરવવુતેવી બહુમુખી પ્રતિભા તે આ એકવીસ મી સદીની દેન છે અને તે પ્રમાણે તો રંગ ફેરવવામાં કાચીંડાની તોલે કોઇજન આવે! જ્યારે સાન્વર્થ અને સાર્થક બા મુખી પ્રતિભાના દર્શન તો આ મહાપુરુષમાં થાય છે. જેઓ ગમે તેવો પ્રાણાન્ત પ્રસંગોમાં જરાય વિચલિત થયા વિના પોતાના કર્તવ્યની કેડીથી વિમુખ થતા નથી અને સણસણતા સવાલોની ઝંડીઓના જડબાતોડ જવાબોથી શ્રોતાજનોના માથા ડોલાવી નાખે છે. | ગમેતેવા બાહ્ય - અત્યંતર વિરોધના વાતાવરણ વચ્ચે પણ શાસ્ત્ર - િધ્ધિાંત - સામાચારીનો અણનમ ‘વિજય” વાવટોજેઓ હેરાવી રહ્યા છે અને પોતાની કુશાગ્રતીક્ષ્ણ બુધ્ધિ અને સારી નિર્ણાયક્તા અને સ્પષ્ટભાષિતા - નીતિથી વિરોધીઓન દુશ્મનોના હૈયામાં પણ માનનીય - આદરણીય સ્થાન પામ્યા છે. મહાભારતમાં એક પ્રસંગ આ છે કે- દુર્યોધન જુગાર રમવા માટે ધૃતરાષ્ટ્રની અનુમતિ માર ! છે ત્યારે ધૃતરાષ્ટ્ર કહ્યું કે, તારા વિદુર કાકાની સલાહ લેજે ત્યારે દુર્યોધન વિચારે છે કે- “મારો વિદુર કાકો મરી જાય પણ મને જુગાર રમવાની સલાહન આપે.''તેઓશ્રીની આવીજ આદરણીય બનેલસ્પષ્ટ-સત્યનીતિના પ્રશંસ* અનેનિંદકો પણ બેમુખેવખાણ કરતાં થાક્તા નથી. શાસ્ત્રને સન્માર્ગે ચાલનારાઓને આવી સિદ્ધિ સહજ છે છતાં પણ તે પ્રત્યે તેઓની જે ઉદાસીનતા'તેજતેઓની બહુમુખી આગવી પ્રતિભાનું પાસુ છે. - જે ઓશ્રીની પુણ્યાનુબંધી પુણ્યાઇ અને પ્રચંડ પ્રતિભાથી જૈન સંઘતો ખરો પણ જૈનેતરો પણ તેટલી જ પ્રભાવિત છે. જેઓ શ્રીની પ્રશમરસનું પાન કરાવનાર પ્રશાન્તમૂર્તિનું દર્શન પણ સંસારની ત્રિવિધ તાપથી સંતપ્ત જીવોને પરમશાન્તિનો અનુભવ કરાવે છે. જેઓશ્રીન સુવિશાલ હૈયામાં સકલ જીવોને શાસનરસી અને મુક્તિએ પહોંચાડવાનો અનુપમ તમન્ના-ભાવનાનો સ્ત્રોત વહી રહ્યો છે, જેઓના નયનો નેહથી નીતરતાં છે, જેઓના હેતાળ હાથના વાત્સલ્યવારિધિથી સીંચાયેલા જીવો પાપપંકથી મુકાતા જાય છે અને જેઓના ચરણોનું શરણ અ3] ભવબીજનોનાશ કરનારું છે. જેઓનાનાભિના નાદમાંથી 20 નીકળતી શ્રી જિનવાણીનું શ્રવણ જેઓના સુમુખે કરવું? પણ ભવવ્યથાને વ્યથિત કરનારું છે અને શાસ્ત્રસિધ્ધાન્તના સંરક્ષણ કાજે. શાસનને માટે પ્રાણ ન્યોછાવનારા વીરોને પેદા કરનારી વીરહાક કરતીવાણીનો રણકો પથ્થરમાં પણ પ્રાણ પૂરનારો બને છે. તેનો અનુભવ આ જૈફ બુઝર્ગવ ‘મર્દાનગી’ અને ‘ખમીરવંતીખુમારી' ના ધારક જેઓશ્રી કરાવી જડમાં પણ ચેતન પૂરી રહ્યા છે. “સંયમ - શાસ્ત્ર અને 3 સિધ્ધિપદની જ્યારે ઘોર ઉપેક્ષા ઉપદેશકો જ કરી રહ્યા છે ? ત્યારે “સંયમ-શાસ્ત્ર અને સિદ્ધિપદના સંદેશ”નો જાણકાર તેઓશ્રીના શ્રીમુખે સાંભળવો અતિ મીઠો-મધુર-હૃદયંગમાં જ લાગે છે.
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy