SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જિન લેબ પ્રતિષ્ઠાનો મહિમા શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૪ અંક પદ તા, - - : , નહિકાય અને જીર્ણ મંદિરોનો ઉદ્ધાર નહિ થાય. | એક કાલે ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ વગેરે ધર્મ પ્રદેશો હતાં. તેના ગામડાઓમાં પણ શ્રી જિનમંદિરો અને ધર્મસ્થાનો હતાં અને છે. | આજે તે જાય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે, કેમકે મનાં ગામ ખાલી થવા માંડયા છે. મંદિરો એમને એમ પડયાં છે. તેને ઉઠાવવાની યોજનાઓ ચાલી રહી છે કેમકે પૂજનાર કોઈ નથી. પૂજનાર નથી માટે શું કરતું તેની ચિંતા થઈ રહી છે. તમે સમજો છો કે, દેવદ્રવ્ય જીવંત હશે તો આ બધાની રક્ષા થશે નહિ તો રક્ષા વી મુશ્કેલ છે. આ કાળના કેટલાક ટ્રસ્ટીઓ પણ લગભગ બને ત્યાં સુધી કોઈને નહિ આપવાની ઈચ્છાળા છે. પૈસાના વહિવટ માટે જે બધા ધર્મના વહિવા કરનારા થયા છે તે બધા આ મનુષ્ય ભવને હારી દેવાના છે. છે. તે વખતે તેઓ ટ્રસ્ટી નહોતા કહે તો પણ વહીવટદાર કહેવાતા. હું ત્યારે તરત દીક્ષીત થયેલ નાનો સાધુ હતો. વ્યાખ્યાનમાં સાડી જાજમ પથરાઈ હતી. આગેવાન શેઠીયો આ વ્યો અને જાજમ જોઈ. મુનીમને બોલાવી પૂછયું કે – આ જાજમ કયાંથી આવી ? મુનીમ કહે – જુ ની જાજમ ફાટી ગયેલી એટલે આ નવી લાવ્યા. તો તે આગેવાન શેઠીયાએ પૂછયું કે આના ' સા કોણે આપ્યા ? મુનીમ કહે – સાધારણ ખાતામાંથી લાવ્યો. એટલે તે આગેવાન શ્રાવક કહે – અમે બધા સાધારણ માણસ છીએ ? તું અમને સાધારણ સમજે છે ? મારી પાસે કેમ ન આવ્યો ? : ના જાજમ કેટલાની આવી ? જેટલાની આવી હતી તે ટલા પૈસા પોતે આપી દીધા . અને કહ્યું કે – સાધારા ખાતામાં મૂકી દે છે અને ફરી આવી ભૂલ કરતો નહિ. શાસ્ત્ર દેવ દ્રવ્યના, સાધારણ દ્રવ્યના અને મન દ્રવ્યના નિધાન રાખવાની આજ્ઞા કરી છે. તમે નિધાન સમજયા ? જેટલુ દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય કે જ્ઞાન દ્રવ્ય હોય તેને અડવાનું નહિ }ણ પૂજવાનું. જયાં સુધી સુખી જીવો બેઠા હોય, સુખી જીવ તો સમજો છો ને ? ઘણા સુખી જીવો છે તે બધાની વાત કરવી છે. તે બધા સુખી જીવો વિધામાન હોય તેઓએ જેમ ભગવાનનાં દર્શન કરવાનાં સાધુનાં ધર્માત્માનાં દર્શન કરવાના તેમ દેવદ્રવ્યનાં, સાધારણ દ્રવ્યનાં અને માન દ્રવ્યનાં પણ દર્શન કરવામાં પણ તેને ડવાનું નહિ. સુખી માણસોની હાજરી હોય યાં સુધી ભંડાર ખોલવાના નહિ. તો પછી તે ભરો કયારે ખોલવા જોઈએ ? એવો કાળ આવે કે સુખી માણસો વિદ્યમાન હોય, વિદ્યમાન હોય ણ કરવાની ભાવના વાળા ન હોય, જેની કરવા ભાવના હોય પણ પોતાની શકિત ન હોય ત્યારે મંદિરના દ્રવ્યથી ઉદ્ધાર- જીર્ણોદ્ધાર કરાય, નવા દિરો બંધાવાય. પૂજા ભકિત પણ કરાવાય. અને વર્તમાનમાં એવા ટ્રસ્ટીને પણ મેં જોયા | છે કે એક ગામમાં અમે ગયા. ત્યાં મેં પ્રસંગ પામતા પૂછયું કે – મંદિરમાં મૂડી કેટલી છે ? એટલે આગેવાન કહે કે સાહેબ ! મૂડી તો હતી પણ પાંજરાપોળમાં ઘાસ પાણીની જરૂર હતી પટે આપી દીધી. મેં પૂછયું કે – તમારા ઘરમાં પૈર ા હતા કે ખાલી છો ? તમારા જેવા લોકોને ટ્રસ્ટી થવાનો અધિકાર નથી. તમારા ઘરની મૂડી સા પવી અને દેવદ્રવ્યની મૂડી આપી દીધી તો આમાથી અપાય ? સુવર્ણ બોન્ડ વખતે પણ ટ્રસ્ટીઓએ ટ્રસ્ટમ થી સુવર્ણ આપી દીધું અને પોતાનું સાચવી રાખ્યું મંદિરો શકિતસંપન્નોએ પોતે માંધવાનાં છે. પોતાની શકિત હોય તો પોતે એક લા બાંધે, તે શકિત ન હોય તો બે જણા ભેગા ઈ બાંધે. આજે તો બધાને લાભ આપવા નીકળી પડયા છે એટલે પોતાની તિજોરી તરની ૧૨ રહે. તમારા પૈસા દુનિયાદારીમાં ખર્ચાય, પ્લે માં ઉડો. મોટરોમાં ફરો, એરકન્ડીશનમાં રહો, ર્નીચરમાં ઘાલો તેમાં બાર મહિને પાંચ લાખ રૂપિયા ય ખરચો પણ અહીં એક પૈસો ય ન પ રચી તેનું કારણ શું ? મને તો એક જ કારણ લા છે કે – મેં મારા જીવન કાળમાં સારા ટ્રસ્ટી જોયા
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy