SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪ = અંક ૯-૧૦ = તા. ૨૩-૧૦-૨૦૦૧ સમકિતના સડસઠ બોલની વિચારણા - પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શન વિ. મ. જગતમાં જૈનશાસનની જયપતાકા લહેરતી રાખે અને અનેકને શાસનના અનુરાગી બનાવે. જૈનદર્શન એવું અનુપમ છે કે કોઈથી પણ પરાજય અને અદ્ભુત પામે તેવું નથી, જેની યુકિત – પ્રયુકિતઓ અકાપ્ય છે. કોઈથી પણ ખંડન થઈ શકે તેવી નથી - આવા ભાવ ભવ્યોના હૃદયમાં પેદા કરાવે તેનું નામ વાદી. માટે આર્હત્ - શ્રી અરિહંત પરમાત્માના ઉપાસકની છે કે, તે કોઈથી પણ પરાસ્ત ન થાય. ૪ નૈમિત્તિક :- અષ્ટાંગ નિમિત્ત ત્રણે કાળન લાભ અલાભને જણાવનાર શાસ્ત્ર સાંગોપાંગ યથાર્થ જાણે – ભણે અને પચાવે તે નૈમિત્તિક શાસનન જ કામ માટે તેનો ઉપયોગ કરે પણ સંસારના વ્યવહારના કામ માટે કે જાતની પ્રભાવના નામના માટે તેનો કદાપિ પણ ઉપયોગ ન કરે. કેમ કે, આ જ્ઞાન તે કાચા પારા જેવું છે તે પૂચે તો જ ફળે નહિ તો ફૂટી જ નીકળે અને સ્વ - પરને માટે વિનાશક જ બને, સમકિતના સડર ઠ બોલની વિચારણા હપ્તો – ૩ આઠ પ્રભાવક ઃ આ પ્રા ચનિક વગેરે આઠે જગતમાં ભગવાનના શાસનને પ્રવયનને પ્રભાવિક કરે છે માટે પ્રભાવક કહેવાય છે. રાસ્તવમાં તો શાસન - પ્રવચન પોતે જ સ્વયં પ્રકાશક જ છે તો પણ તે તે દેશ - કાળાદિમાં ઉચિત પ્રવૃત્તિ દ્વારા શાસનને પ્રકાશિત - પ્રભાવિત કરે છે માટે તે પ્રભાવક કહેવાય છે. ‘હું છું માટે શાસન છે તેમ નહિ પણ શાસન છે માટે હું છું હું ન હતો, ન હોઈશ તો પા શાસન તો જગતમાં વિદ્યમાન હતું, છે અને રહેવાનું જ છે'- આ ભાવનાવાળો જ સાચો પ્રભાવક બને | ૧. પ્રાવચનિક :- પ્રવચન એટલે દ્વાદશાંગી. તે જેમની પાસે અતિશય પૂર્વક હોય તે પ્રાવચની. તે તે કાળમાં જે શ્રુત વિદ્યમાન હોય તેના અર્થનો જે પારગામી હું ય અને પોતાની શકિત દ્વારા અનેકને શાસનાભિમુખ બનાવે, સૌના હૈયામાં અસ્થિમજ્જા સ્થર કરે તે પ્રાવચનિક કહેવાય, શાસન - ૨. ધર્મકથી :- જેમની ધર્મકથા એટલે વ્યાખ્યાન શકિત સ્પષ્ઠ, સરળ, સુબોધ, હૃદયંગમ હોય. શ્રોતાઓના સંદેહને દૂર કરનારી હોય. અપૂર્વ વકતૃત્વથી ભ્રાતાઓને ધર્માભિમુખ બનાવે. મેઘ જેવી ગંભીરવાણી વડે આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની અને નિર્વેદની રૂપ ધર્મકથાથી શ્રોતાઓના હૃદયને શાસનના રંગથી રંગાવ દે, તે ધર્મકથી કહેવાય, ૩. ાદી :- વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ અ વી ચાર પ્રકારની સભામાં પ્રતિપક્ષ એટલે વિરોધી પક્ષના ખંડનપૂર્વક સ્વપક્ષનું સ્થાપન કરે તે વાદી. નિરૂપણવાદ લબ્ધિથી વાચાળવાદીઓના સમૂહ વડે પણ જેન વાણી પરાસ્ત – નિસ્તેજ ન થાય તે વાદી. गरैसूर ૫. તપસ્વી :- વિપ્રકૃષ્ટ એટલે અઠ્ઠમ કે તે ઉપર કઠોર - દુષ્કર તપ કરનાર જે હોય તે તપસ્વ કહેવાય ‘ત’ત્ત્વજ્ઞાનની જે ‘પ'રિણતિ તે તપ છે, જેના હૈયામાં પરિણામ પામે તે સૌના હૈયામાં સદ્ધર્મને રોપે, પરમતારક શ્રી જિનાજ્ઞાને ગમે તેવા માન પાનાદિ પ્રસંગોમાં ગોપે - લોપે નહિ, આશ્રવથી બ અને તપના અજીર્ણ રૂપ કોપની છાયામાં પણ ન જાય. = ૬. વિદ્યાવાન :- પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાદેવીઓ શાસનરક્ષક દેવ દેવીઓ જેમને સહાયક અને સાત્ત્વિકતાથી જેઓ મંત્રથી બલવાન છે તે શ્રી વજ્રસ્વામિ મહારાજા જેવા તે વિદ્યાવાન કહેવાય. અને તેનો ઉપયોગ શાસનની રક્ષા - પ્રભાવનાદિમાં કરે. ૭. સિદ્ધ :- અંજન, પાદલેપ, તિલક, ગુટિક સકલજીવોનું આકર્ષણ આદિ સિદ્ધિઓ જેમને સિદ્ધ છે તે ૧૦૫ tr
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy