SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી - સુલસા સતીત્વની અને શુદ્ધતમ સમ્યક્ત્વની પ્રશંસા કરી, દેવો દાનવો- માનવો અને પશુઓની પર્ષદામાં. કથાનો પ્રારંભ કરતાં પૂર્વે ચરિત્ર રચયિતા સૂરદેવે મહાસતી સુલસાના અંગો, ઉપાંગો અને અવયવોનું પણ માદક વર્ણન કર્યું છે. સ્ત્રીના અંગોપાંગોનું નીરીક્ષણ પણ સાધુ માટે જ્યાં વજર્ચ ગણાતું હોય, ત્યાં તેના વર્ણનની અનુમતિતો સાંપડે જ કઇ રીતે ? શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ * અંક ૪૪/૪૫ * તા. ૩-૭-૨૦૦૧ આમ, કામી પુરુષ માટે સુલસા કામદેવની રાજધાની જેવી બની રહેતી. यस्याः श्रुतिभ्यां कमलार्चिताभ्यां लघूकृता आश्विन मास - दोला; તા નયોને વિત્ત્ત વૃક્ષશાવા - મુ વધનાજી વધુ ” તુ..|| ૪૭ || બે કમળાકાર કુંડલોથી અલંકૃત સુ સાના કર્ણ પટલને જોઇને જાણે આસો માસના વનો-ઉપવનોમાં બંધાતા હિંચકાઓ પણ લજ્જિત થઇ જતા. આથી જ કદાચ તેઓ વૃક્ષોની એક - બીજી ડાળ ઓ વચ્ચે બંધાતા હશે ! यन्नेत्रशोभाऽभिभवाकुरडगी, करोति कामं वनवास सेवाम्, नीलोत्यलं कालमुखं त्क्वाप्य जाडभिधातान्सतेऽ धुन पि. ॥ ४८ ॥ હરણીથી ય અધિક ચપળ અને ભૂરાં સુલસાના નયનો હતા. લાગે છે, સુલસાના નયનોની શોભાથી ધ્રૂજી ઉઠેલી હરણ-જાતિએ આથી જ વનવાસ સ્વીકાર્યો હશે. નીલકમળ જેવો જ તે નયનોનો મધ્યભાગ હતો. લાગે છે; સુલસાના નેત્ર તારકોથી ફડી ઉઠેલા નીલ કમળો ! આથી જ સરોવરમાં સન્તાઇ જવું પડ્યું હશે. એક સાધુ તરીકે સ્ત્રી વર્ણનથી વેગળા રહેવાના શાસ્ત્રકારોના ફરમાનને શિરોમાન્ય ઠેરવીને અત્રે માત્ર ચરિત્રગ્રંથોમાં રજૂ થયેલા સુલસાના દેહ સૌન્દર્યની આલબેલ પુકારતા શ્લોકોના ભાવાનુવાદ કંડારીને જ વિષયની સમાપ્તિ કરવાનું મુનાસીબ લેખીશ. આ રહ્યાં ‘સમ્યક્ત્વ સંભવ’ ગ્રન્થના સુલસાના દેવાંગના જેવા દેહની બિરુદાવલી લલકારતા પદ્યો અને તેનો જરાય મરી - મસાલા ભભરાવ્યા વિનાનો ભાગાનુવાદ. सीमन्तदण्डेदेन विराजमानो, यत्केशपाशो गुरुचामरर्जू; વિવિધ પુષ્પામાળ પ્રમામિ - શ્ચાવિŌ શિહિન: વાપર્... ॥ ૪૬ ॥ સુલસાનો કેશપાશ વિશાળ કદના ચામર જેવો જ ચીચ હતો. તેમ છતાં તે કેશપાશમાં ગુંચ ન હતી. કેશપાશની મધોમધથી પસાર થતો સેંથો ચામરના ગૌર દંડ જેવો જ શોભાયમાન બનતો. તે કેશપાશ વિવિધ જાતિના પુષ્પો અને અલંકારો દ્વારા જાણે મોર પીંછના સમૂહને પણ તુચ્છ - હાંસી પાત્ર બનાવી દેતો. निर्णीयते जगमराजधान, याकाम राजस्य चकास्ति यस्याम्, नासैकवंशं तिलकाग्र कुम्भं - भ्रू - झल्लरीछत्रनिभं ललाटेम् ॥ ४६॥ વાંસ જેવી તેની નાસિકા હતી. નાસિકાના અગ્રભાગ પર કુંભના આકારનું રમ્ય તિલક. તિલકની પંકિત પર બંધાયેલી ઝાલર જેવી તેની ભ્રૂકુટિઓ અને એ બધાયની ઉપર છત્ર જેવું તેનું લલાટ. ५७८ यन्नासिकायाः समताऽऽप्तिहेतो स्तिलस्य पुष्पं नितरां विहस्य, पतज्जनानामिति वक्ति योडोर्ष्यावान् महदिभः पतनं हि तस्य ... ॥ ४९ ॥ સુલસાની નાસિકા તિલના પુષ્પ જેવી જ નાજૂક હતી. લાગે છે; તેથી જ તિલનુ પુષ્પ વૃક્ષ ૫થી અધ: પતન પામ્યું છે. હા ! તિલનુ ધરાતલ પર ખરી પડતુ પુષ્પ પણ જગતના ઇર્ષ્યાળુઓને ઉપદેશ આપતુ જાય છે; કે महद्भिः ईर्ष्यावान्यः पतन मेव तस्य ! શકિતશાળી કે ગુણવાન પુરુષની જે ઇર્ષ્યા કરે, તેનું પતન થઇને રહેવાનું. 哈 -ક્રમશ:
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy