________________
· શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૨૨/૨૩ ૭ તા. ૬-૩-૨૦૦૧ ન કરીએ તો તે પાપના આપણે પણ ભાગીદાર થઈએ. ક૨શે તે ભ૨શે તેવું કોણ બોલે ?
શાસન જો આપણું હોય, ધર્મ આપણા હોય, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા આપણા હોય અને તેને
માટે વિદ્ધ થઈ રહ્યું હોય ત્યારે કહીએ કે કરશે તે ભરશે !' જો બધા મહાપુરુષોએ આ કર્યું હોત તો આ શાસન આપણને મળત ! તમે એક વાત સમજી લો કે, અમને કોઈની સાથે અંગત લેવા દેવા નથી કે દ્વેષ નથી. કસ્તુરભાઈ સાથે પણ નથી, તેમનું નામ પણ લેતા નથી. પ્રસંગ આવે તેમણે સાધુઓને કેવા ઘટાવ્યા છે, કેવા દબાવ્યા છે, તીર્થોમાં શું શું કર્યું છે, નબળાનું સાંભળ્યું નથી તેટલી જ વાત કરી છે. આમને આમજ ચાલશે તો ભવિષ્યમાં ભયંકર નુકશાન છે. આ અટકાવવા ઉંઘમ ન કરીએ તો સારા પરિણામનો લાભ ન મળે. પરિણામને અટકાવવા ઉદ્યમ કરવો જોઈએ. તાનામાં નાનો માણસ શાસનના હિત માટે કામ કરે તો તેને સ્વીકારવા તૈયાર છીએ.
ખરાબ
આપણા માર્ગસ્થ પૂર્વાચાર્યો થઈ ગયા તો તેમણે ભિન્નતા થવા દીધી. જે જે અલગ થયા તો થવા દીધા. તે ભાનભૂલી અવસ્થામાં થવા દીધું તેમ કલ્પો છો ? તે બધા મહાપુરુષોની ભૂલ સુધારવા આજે નીકળ્યા છે. આજે ધંધો આ જ ચાલે છે.
તમને આખા ઈતિહાસની ખબર નથી. તમે જૈનશાસનનો ઇતિહાસ જાણતા નથી. શ્વેતાંબર - દિગંબર તીર્થો માટે લડે છે તેમ તમે જાણો છો. પણ શ્વેતાંબર - દિગંબરના કજિયા શેને આભારી છે તેની તમને ખબર નથી. અત્યારે ચકોર રીતે જીવતો સંપ્રદાય દિગંબર છે તે તમારું ખૂન કરી રહ્યો છે. તમારા આગેવાનો તમારું ખૂન કરી રહ્યા છે. કંદોરા વગરની મૂર્તિ માન્ય કરી છે. તેના ચેરમેન કસ્તૂરભાઇ લાલભાઇ છે. આ બનાવ બની ગયો તો આપણા બધા મંદિરો જોખમ્માં આવવાના છે. બેસવાની જગ્યા આપી તો માલિકો ઠોકી દીધી. તે લોકોનો પ્રયત્ન ધમધોકાર ચાલુ છે. લખ્ખો રૂા. પાણીની માફક ખરચી રહ્યા છે. નમાલા કસ્તુરભાઈ કાંઈ કરી શકયા નથી. તેમની વાતમાં હા પાડી છે.
તે જો ભગવાનની આજ્ઞા મુજબ ચાલવા તૈયાર હોય તો તેમની પાછળ ચાલવા તૈયાર છીએ. બાકી તો આ બધા મંદિરો - તીર્થો જોખમમાં આવી જવાના છે. કોર્ટો તમારી કોઈ વાત માનવાની નથી. ભગવાન શ્રી મહાવીર પરમાત્માની ઓળખમાં ગોટાળા વાળ્યા છે. તે તમારો આગેવાન બન્યો રહે તે ચાલે ? પેઢી તેને સુપ્રત હોય તો તે પેઢીની, તીર્થોની સુવ્યવસ્થા કરશે ? તીર્થરક્ષક આચાર્યો રોઈ રોઈને મર્યા છે. તીર્થરક્ષા નથી થઈ રડી પણ તીર્થનો નાશ થઈ રહ્યો છે. કજિયા કરનાર ને ખોટા કહી ગાંડા કહે છે. તમે સાવચેત બનો તો કામ થાય.
હવે સાધુ સંઘ, શ્રાવક સંઘ જાગ્યો છે તેમ તેમને લાગવું જોઈએ. જ્યારે સાચી વાત આવે તો શું ઉત્તર આપે ? બધાને સમજાવે છે કે, બીજી બાજુ પણ સમજો. ઉપા. અમરમુનિના લેખને પ્રામાણિક ગણ્યો છે અને તે લેખ તમારો આગેવાન જ પ્રચારે છે. આ રીતે જો શરૂઆત થશે તો પરિણામ કેટલું ભયંકર આવશે ! આ રીતે ભગવાનની અવહેલના કરનારા જગતમાં પેદા થયા છે. તેમને અટકાવવા પ્રયત્નો કરવા જ જોઈએ, પ્રયત્નો
૩૯
તમે સાવધ થાવ, જાગૃત થાવ. જાગૃતિ ગુજરાત કાઠીયાવાડમાં પૂરી આવી છે, તે રીતે દરેક ક્ષેત્રોમાં પેદા થવી જોઈએ.
ભગવાન મહાવીરના નામે ચાંદીના સિક્ક, બહાર
પાડવાના છે. આ રીતે ભગવાન મહાવીરની આકૃતિની આશાતના થાય તેની કોઈ ચિંતા નથી. તેનો દુસ્પયોગ થાય તો પાપ લાગે કે ન લાગે ? જે જે વાતો જાહેરમાં આવતી જાય છે અને તેમાં જેટલી જેટલી વાતો ખોટી હોય તેનો તે રીતે વિરોધ જાહેર કરવો જોઈએ.
નિકટનો સ્નેહી હોય તેને ય કહેવું પડે કે હવે ન ચાલે મામલો વધતો જાય છે. તમારે અટકી જવું જોઈએ નહિ તો તેમાંથી નીકળી જવું જોઈએ. આપણ કેટલા માણસો ? આ મૂર્તિ થઈ તેની તમને ખબર છે ? આ સરકારનો ભય જે તેને ઓળખતો હોય તેને વધારે છે. તમને તે પચાસ (૫૦) લાખ આપે તેવો સંભ. નથી. કદાચ આપે તો તમારી છાતી પર ચઢી બેરાશે. તે અનુદાન દે તો ય લેવા જેવું નથી.
તમારા ટ્રસ્ટો સુવ્યવસ્થિત રાખવાનો સરકારે નિર્ણય કર્યો અને તમે સ્વીકાર્યો ! તેનું એ ખાતું વ્યવસ્થિત નથી. કેટલી કમિટિ નીમાઈ ? કેટલા કોદા