SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શુધ્ધ-વ્યવહાર - શુધ્ધ વેપાર ધર્મનું મૂળ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ વર્ષ ૧૩ * અંક ૧૬/૧૭ * તા.૧૯ -૧૨-૨૦૦ શુધ્ધ વ્યવહાર – શુધ્ધ વેપાર ધર્મનું મૂળ ખાસ શાસ્ત્રોમાં આવે છે શાસ્ત્રો આધારે ૧) હોમ મંત્ર એ બ્રાહ્મણનું બળ છે. (૨) નીતિ શાસ્ત્ર એ રાજાનું બળ છે. (૩) અનાથોનું બળ રાજા છે. (૪) વણિકનું બળ ક્ષમા છે. અર્થાત્ વાણીઓ ક્ષમાથી ફાવે. (૫) ધનનું મૂળ પ્રિય વચન અને ક્ષમા છે. કામનું મૂળ પૈસો સ્વસ્થ શરીર અને લાંબુ આયુષ્ય વય, જીંદગી, ધર્મનું મૂળ દયા-દાન અને દમન છે. અને મોક્ષનું મૂળ સર્વ-અર્થ-પ્રયોજનથી નિવૃત્તિ છે. શુધ્ધ વ્યવહાર તેજ ધર્મ શુધ્ધ વેપાર તેજ ધર્મ-પ્રિય વચન નમ્રતા-નરમાશ તેજ ધર્મ-વળી નીતિ ન્યાય-નિયમ-ટેક-નમ્રતાદયા-દાન કરૂણાથી ભરપૂર જીવન તેજ ધર્મ છે તો ? અધર્મ કોને કેવાય. ઘણીવાર વ્યાપારીઓ ખરીદ વેચાણની બાબતમાં પારકા ગ્રાહકો તોડી પોતાના કરવામાં પાવરધા બને. વળી ચોપડો નામું વિપરીત એટલે જુદુ લખવામાં અથવા લાંચ આદિ કાર્યમાં કદી પણ માથા પ્રપંચ કે પરવંચનો કરવી નહિં. કહ્યું છે. કે જે પ્રાણી વિવિધ પ્રક્રિયા ઉપયોગી માયા પ્રપંચનો આશરો લઇ અને ભોળા કે વિશ્વાસને જે છેતરે છે તે મહા મોહનો મિત્ર સ્વર્ગને મોક્ષના સુખથી અળગા રહે છે. અને આત્માને છેતરે છે. પોતાના આત્માને જ દગો આપે છે. બને ત્યાં સુધી નકી કરવું જોઇએ - વેપાર-કાપડસુતર -૩ -સોના ચાંદી-ઝવેરાત વાસણ-મોતી જ્વેલરી જેમા પાપ ઓછું લાગે, અને મહેનત પણ થોડી ઓછી તેવો વ્યાપાર કરવો તેમ ની તે શાસ્ત્ર કહે છે તેમ ધર્મમાં કહ્યું છે. તેમાં પણ સાવધાની પૂર્વક સમાઇથી, નીતિથી કરવું. માયા, કપટ, પ્રપંચથી ખાસ બચતા રહેવું. અહીં કોઇને પ્રશ્ન થાય કે સાધારણ સ્થિતિવાળા સામાન્ય વ્યાપારી-માયા-કપટ કર્યા વગર શુધ્ધ વેપાર શુધ્ધ વ્યવહારથી વર્તે તો તેના નિર્વાહથી વાંધા પડે, તેને કૂડ કપટ કર્યા વિના કેમ ચાલે તો તેના સમાધાનમાં સમજવાનું કે શુધ્ધ વ્યવસાયથી મેળવેલા થોડા દ્રવ્યમાં પણ વધારે ઉપલબ્ધી હોય છે બરકત માનસિક અને શારિરીક સ્થિતી પણ સારી રહે છે. જીવને સંતોષનું પરમ સુખ સાંપડે છે. ત્યારે છળ - પ્રપંચ કે કૂડ - કપટથી મેળવેલું દ્રવ્ય લાંબો કાળ ચાલતું નથી. કોઇ વાર તો વર્ષમાં મૂળ દ્રવ્ય સાથે પણ નાશ પામે છે. તે દ્રવ્ય આધિ વ્યાધિ પણ લાવે છે. પરિણામે વૈદ ડોટરો રાજા-ચોર-અગ્નિ કે રાજદંડ આદિથી ખવાઇ જાય છે. અંતે તો સત્યનો જ જય છે. નીતિનો ડંકો ફરકે છે. ન્યાયનું નિર્માણ છે. અન્યાયનું ભંગાણ છે. ઘર્ષણ થાય છે. અને અન્યાયનું દ્રવ્ય, દાચ ટકી જાય તો પોતાના દેહનાં ઉપયોગમાં ધર્મના ખરા 338 શાહ રતિલાલ ગુટકા - લંડન સહતંત્રી : શ્રી મહાવીર શાસન ઉપયોગમાં પણ નથી. આવતું ન્યાયથી, અન્યાયથી મેળવેલું દ્રવ્ય, દશ વર્ષ સુધી ચમક બતાવે છે. અને અહમ સજાવે છે પણ અગિઆરમાં વર્ષે નાશ પામે છે. ભાવાર્થ કે ઉલ્ટું બધું ચાલ્યું જાય છે. અને હેરાન થાય દુ:ખી દુ:ખી થઉ જાય તે જુદુ આ બાબત શાસ્ત્રો માં-એના વિસ્તારથી દાખલ દ્રષ્ટાંતો છે એન નામો (૧) સાગર શ્રેષ્ઠી-પાપ બુધ્ધિ-રંક શ્રેષ્ઠી અનેક દાખલાઓ સિધ્ધાતમાં છે. પુણીઓ શ્રાવક રૂની પુણીઓ વાળી ગુજરાન ચલાવતો હતો. એની ૧૨।। દોકડાની મૂડી હતી. ૧૨।। દોકડા એટલે-બે આના રૂપિયાનો આઠમો ભાગ એટલી મુડીમાં પણ રોજ સા.ર્મિક ભકિત કરી પાવન થાતો અને બંને જણને ભકિત અને તપમ્યાનો લાભ મળતો એક જણ આજે ઉપવાસ કરે અને-એક એક સણું -અને સાધર્મીકને જમાડી પછી જ જમે. માથે ખડા રહીને જમાડે. પણ પ્રશ્ન,આમ આવું કરવાનું પ્રયોજન શુ ? એનાથી શું લાભ થાય ? શું પુન્ય આપણે તો ખાતા પીતા મોજ માણવી છે. ઠીક છે ખાતા પીતા કયારેક તો અથથી અંત સાધર્મિક યાદ આવવો જોઇએ. આજે તો ઘણે ખરે સધાર્મિક ભકિત પણ વેરાઇ રહી છે. અને સાધર્મિકનું મૂલ્ય શું છે, સાધર્મિક શું, એકજ સાધર્મિકને જમાડો ઘર આંગણે ભકિત ભાવથી અને એક હજાર સગા સ્નેહી મિત્રોને જમાડો તોપણ પણ લાભ એકજ સાધાર્મિકને જમાડયાનું વધી જાશે. આજે પરદેશમાં હિંદી કોમ તો ન કરવાના વેપાર ઘણી જગ્યાએ ઉભા કર્યા છે. પણ એમાંએ જૈન કેવાતો- ાહ કેવાતોમહાજન (મોટા મણાસ) કેવાતો પછી શ્વેતામ્બર હોય કે દિગંમ્બર અને દેરાવાસી કે સ્થાનકવાસી મૂળ જૈન કેવાતા,(બાકી હિંદી કોમમાં બીજી જ્ઞાતિ પણ આવી જાય છે. જેમણે આવા વેપાર રાખ્યા છે.) આજે દારૂ, વિસ્કી બરાન્ડી જેમાં હજારો લાખો નહિં પણ ગણ્યા ગણાય નહિં એટલા જીવનોની હિંસા અને અવ ય અધોગતિ દરવાજે ઉભા કરી દીએ, આવા વેપાર થઇ રહ્યા છે. મૂળ તો-બે ટંક ખાવાજ જોઇએ છે ને. પેટજ ભરવુ છે. કીડી-કુંજર (હાથી) રાય, રંક, શેઠ, નોકર બધાને દેવ દાનવને બધાને પેટ ભરવું છે કે બીજું કંઇ શુ? થશે - આપણું આપણા આત્માનું શું થશે જરા વિચારવા જેવું છે. આમે અંતે તો મુકી સમય પરિપક વય જાવાનું છે. શા માટે આવુ પાપ અને દુનિયામાં અબજોના અબજો જીવો છે. બધાને આછુ પાતરૂં મળીજ રહે છે. જયાં લગી પુન્ય છે ત્યા
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy