________________
બિજાપુર (કર્ણાટક) નગરે
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૧૩૦ તા. ૨૧-૧૧-૨૦૦૦
બિજાપુર (કર્ણાટક) નગરે મહાપર્વની અનુમોદનીય - અવિસ્મરણીય આરાધના
(સામુદાયિક ૧૦૮ અઠ્ઠાઈની તપશ્ચર્યા)
સુવિશાલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી મહોદય સૂ. ૫. ની આજ્ઞા - આશીર્વાદથી ચાતુર્માસાર્થે પધારેલા શાસનપ્રભાવક પૂ. આ. ભ. શ્રી જયકુંજર સૂ. મ. તથા પૂ. આ. ભ. શ્રી મુકિતપ્રભ સૂ. મ. ના શિષ્ય - પ્રશિષ્યરત્નો પૂ. મુ. શ્રી પુણ્યારક્ષિત વિ. મ., પૂ. મુ. શ્રી અક્ષયબોધિ વિ. મ. તથા પૂ. મુ. શ્રી આત્મરક્ષિત વિ.મ ની પાવન નિશ્રામાં શ્રી સંઘના ઉપક્રમે મહાપર્વની આરામના ખૂબજ અનુમોદનીય થવા પામી.
પૂજ્ય મુનિશ્રીએ વ્યાખ્યાન દરમ્યાન મહાપર્વનું સ્વાગત કઈ રીતે કરશો ? એ અંગે અઠ્ઠાઈ તપ કરવાની પાવન પ્રેરણા કરેલ અને પૂજ્યશ્રીની પ્રેરણાને ઝીલીને શ્રી સંઘમાં ૧૦૮ જેટલી અઠ્ઠાઈ પણ થવા પામી હતી. જે સંઘમાં કાયમી યાદગાર સંભારણું બની જવા પામેલ. ૬૪ પ્રહરી પૌષધની આરાધના સુંદર થયેલ.
સૂત્રશિરોમણિકલ્પસૂત્ર ગ્રંથ ઘરે લઈ જવાનો ચઢાવો શ્રી રાજેન્દ્ર જૈન યુવક મંડળે લીધો હતો. અને રાજરાજેન્દ્ર આરાધનાભવનમાં ખૂબજ ઠાઠમાઠથી રાત્રિજાગરણ કરેલ. ભા. સુ. ૧ ના પારણું ઘરે લઈ જવાનો ચઢાવો પોપ્યુલર ટ્રેડર્સ પરિવારે લીધેલ.
મા. સુ. ૪ ના ૧૦૮ જેટલા ભાઈઓમાં પૌષધ થવા પામેલ.
મા. સુ. ૫ ના છઠ્ઠથી ઉપરના બધા તપસ્વીઓના પારણાનો લાભ વી. જી. પારેખ પરિવારે ખૂબજ ઉદારતાપૂર્વક લીધેલ.
મા. સુ.૬ ના રથયાત્રા તથા તપસ્વીઓનો વરઘોડો ખૂબજ શાસન પ્રભાવનામય નીકળ્યો હતો. ભા. સુ. ૮ના શ્રી સકલ સંઘ તરફથી ચૈત્યપરિપાટીનું આયોજન થયેલ. મહાવીર સોસાયટીના આરાધકો તરફથી અલ્પાહાર ભકિતનું આયોજન થયેલ. મહાપર્વ નિમિત્તે સંઘમાં બે સ્વામીવાત્સલ્ય પણ થયેલ.
૨૭૨
ભા. સુ. ૧૦ થી ભા. સુ. ૧૨ ત્રણ દેવસ ડો. પ્રભાકર ગણપતલાલ શાહ પરિવાર આયોજિત ત્રિ-દિવસીય જિનભકિત મહોત્સવ ખૂબજ ઠાઠમાઠથી થવા પામેલ. શ્રી સંઘનું સ્વામી વાર લ્ય પણ ઉદારતાપૂર્વક થયેલ. મહોત્સવની પાવન સ્મૃતિમાં બિજાપુર શ્રી સંઘના પ્રત્યેક ઘરોમાં ૫ ગ્રા. ચાંદીનો સિક્કો ડો. પ્રભાકરભાઈ પરિવાર તરફથ. ભેટરૂપે આપવામાં આવેલ.
મહાપર્વ દરમ્યાન અઠ્ઠાઈ તપની આરાધના કરનાર પુણ્યશાલીઓને શ્રી સંઘ તરફથી રામુદાયિક પ્રભાવના રૂપે રૂા. ૧૧૦૦ નોંધાયેલ. જેમ સોનાની વીટી તથા પુસ્તકનું આકર્ષક પેકેટ અપાયેલ. ૪ પ્રહરી પૌષધશાળા ભાગ્યશાળીઓને પણ સોનાની વટી ની જ પ્રભાવના થયેલ. શ્રી સકલ સંઘ તરફથી તપસ્વીઓના સન્માનનો કાર્યક્રમ ભા. સુ. ૧૩ ના સંઘના ઉપાશ્રયે જ રખાયેલ. મોટી રકમની બોલી બોલીને શ્રી વેણીલાલ નાગરદાસ વારૈયા પરિવારે ઉદારતાપૂર્વક લાભ લીધેલ.
એકંદરે ચાલુ વર્ષે કર્ણાટક બિજાપુરમાં પૂ. ગુભગવંતોની ચાતુર્માસાર્થે પધારામણી થવાથી અવિસ્મરણીય આરાધના થવા પામી છે. બિજાપુર સંઘના જ ભૂતપૂર્વ પ્રમુખ હાલ પૂ. મુનિાજ શ્રી અક્ષયબોધિવિજયજી મ. ની દીક્ષા બાદ સૌ પ્રથમ ચાતુર્માસ હોઈ સંઘમાં ખૂબજ આનંદનું વાતાવરણ છે. પૂ. મુનિશ્રીના સંસારી સુપુત્ર શ્રી દિનેશભાઈ બાબુલાલ સંઘવી ઉદારતાપૂર્વક ચાતુર્માસ કરાવવાનો લાભ લઈ રહ્યા છે.
- સુરસુરિયું
ચંદુ હજામે પોતાની ચાલાકી બતાવતાં કહ્યું : હું એવી ગુરાતનની વાતો કહ્યું કે ભલભલાના વાળ ઉભા થઈ જાય !'' ચંપક બોલી ઉઠયો : ‘‘એમ તો તું ચમન ટાલિયાના માથાના વાળ ઉભા કરી દે, જોઉં તો !''