SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનગુણગંગા શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ - અંક ૧૩૦ તા. ૨૧-૧૧-૨boo! ( જ્ઞાનગુણગંગા ) હપ્તો -૪ -પ્રશાંગ : : કર્મગ્રંથિક મતે જ્યાંથી ફેરફાર છે તે જોઈએ. કોઈપણ સંખ્યાને એ જ સંખ્યાએ ગુણતાં જે સંખ્યા આવે છે તે તો વર્ગ કહેવાય. જેમ કે પાંચને પાંચે ગુણતાં પચ્ચ શ (૨૫) આવે તે પાંચનો વર્ગ કહેવાય ૫૪૫ = ૨૫. જઘન યુકત અસંખ્યાત” સુધી સૈધાન્તિક અને કાર્મગ્રંખ્યિક માન્યતા બરાબર છે. પરંતુ તે પછી કાર્મગ્રચૂિક માન્યતામાં ફેર પડે છે તે આ રીતે : (૫) મધ્યમ યુકત અસંખ્યાત :- “જઘન્ય યુકત અસંખ્યાત' થી શરૂ કરીને છેક “ઉત્કૃષ્ટ યુકત અસંખ્યાત' સુધીનું “મધ્યમ યુકત અસંખ્યાત' કહેવાય. (ક) ઉત્કૃષ્ટ યુકત અસંખ્યાત :- “જઘન્ય યુકત અસંખ્યાત'ને “વર્ગ” કરવાથી જે સંખ્યા આવે તેમાં એકરૂપ હીન તે ‘ઉત્કૃષ્ટ યુકત અસંખ્યાત' કહેવાય. (પૂર્વ રાશિ અભ્યાસ ગુણિત કરી એક રૂપ હીન તે ઉત્કૃષ્ટ યુકત અસંખ્ય ત કહેલ અને અત્રે “વર્ગ કરી જે સંખ્યા થાય તે કહ્યું) () જઘન્ય અસંખ્ય અસંખ્યાત:- ‘ઉત્કૃષ્ટ યુકત અસંખ્યાત'માં એક રૂપ ઉમેરવાથી જે સંખ્યા થાય તે જઘન્ય અસંખ્ય અસંખ્યાત' કહેવાય. (૮) મધ્યમ અસંખ્ય અસંખ્યાત :- જઘન્ય અસંખ્ય અખાતની પછી અને ઉત્કૃષ્ટ અસંખ્ય અસંખ્યાતની પૂર્વેની સંખ્યા તે “મધ્યમ અસંખ્ય અસંખ્યાત’ કવાય. (). ઉત્કૃષ્ટ અસંખ્ય અસંખ્યાત - “જઘન્ય અસંખ્ય અસંખ્યાત' ત્રણ વાર વર્ગ કરવો. તેમાં નીચેની દશ “અસંખ્યાત” વસ્તુ ભેળવવી. અત્રે એ યાદ રાખવું કે જ્ઞાનવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટિ સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહર્તની છે. એ બેઉ વચ્ચે અસંખ્ય મધ્યમ સ્થિતિ છે. અને એના બંધના હેતુભૂત “અસંખ્યઅધ્યવસાયો છે. એ જ પ્રમાણે અન્ય કર્મોમાં પણ અધ્યવસાયો અસંખ્ય લોકકાશના પ્રદેશ જેટલા જ છે. આમ જેમ કર્મસ્થિતિબંધ અસંખ્ય છે તેમ એના “અનુભાગ' રસના બંધ પણ અસંખ્ય છે. અમુક કર્મ અમુક કાળ કે મુદત સુધી રહે એ કર્મનો “સ્થિતિ બંધ' કહેવાય. કર્મના શુભાશુભ ફળ એ કર્મનો અનુભાગ કે રસ કહેવાય. તેનો નિશ્ચય તે અનુભાગ બંધ” કહેવાય. દશ અસંખ્યાતનાં નામ: ૧. લોકાકાશના પ્રદેશો. ૨. ધર્માસ્તિકાયના પ્રદેશો. ૩. અધર્માસ્તિકાયના પ્રદેશો. ૪. એક જીવના પ્રદેશો. ૫. સ્થિતિબંધના અધ્યવસાયના સ્થાનો. ૬. અનુભાગબંધના અધ્યવસાયના સ્થાનો. ૭. મનોયોગના, વચન યોગના અને કાયયોગના અવિભાજ્ય વિભાગો. ૮. કાળચક્રના સમયો - ઉત્સર્પિણી ઓ અવસર્પિણીના સમયો. ૯, પ્રત્યેક શરીરી જીવો. (અનંતકાયને છોડી ને પૃથ્વી - અપ - તેલ - વાઉ - વનસ્પતિ - ત્રસ | પ્રત્યેકના શરીરો અર્થાત્ સર્વ જીવો) ૧૦. અનંતકાયના જીવો રૂપ નિગોદના શરી. ( સૂક્ષ્મ – બાદર અનંતકાયિક વનસ્પતિના અર્થ નિગોદના શરીરો.). આ દશ અસંખ્યાતા ભેળવ્યા પછી પુનઃ એન . ત્રણ વાર વર્ગ કરવો પછી એમાંથી એક રૂપ ઓછું કરી એટલે “ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત” થાય છે. (૧) જઘન્ય પતિ અનન્ત :- ઉત્કૃષ્ટ અસંખ માં અસંખ્યાતમાંએક રૂપ ઉમેરીએ ત્યાર “જઘન્ય પરિ અનન્ત” થાય. - (૨) મધ્યમ પરિત અનન્ત - જઘન્ય પરિમ અનન્ત પછીનું ઉત્કૃષ્ટ પરિત્ત અનન્તથી પહેલાનું ! મધ્યમ પરિત્ત અનન્ત થાય.
SR No.537263
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages298
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy