________________
૧૭
સમાધિને પામવાનો રાજમાર્ગ..
- અ. સૉ. અનિતા શાહ અકોલા.
ગૃહસ્થ પણામાં પણ જો સાચા સુખ અને શાંતિનો |તેના શબ્દોનો પ્રતિઘોષ આપણા અજ્ઞાત મનમાં ગુંજયા જ કરે અનુભવ કરવો હોય તો ‘કમખાના’ અને ‘ગમખાના' એ છે. તે વાત વિના બીજો વિચાર પણ આપણે કરી શકતા જ મંત્રને જીવનમાં વણવો ખૂબ જ જરૂરી છે. તેમજ જરૂર વિના | નથી. તેથી ઊંઘ નિંદણ-વેરણ થઈ જાય છે, બેચેનીશી આપણે કોઈની પણ સાથે બોલવું નહિ. કામપૂરતું બોલવું પડે તો બોલો | ‘બિમાર’ જેવા થઈએ છીએ અને ‘બદલા'ની ભાવનામાં તે પણ પરિમિત, હિતકર, અને મધુર બોલો. કટુ-કડવાશ | ઓતપ્રોત બની બધું જ ભૂલી જઈએ છીએ. વધારનારી, મર્મભેદી ભાષા તો બોલવી જ નહિ. બે શબ્દથી કામ પતે ચાર શબ્દ ન બોલો. અવસરે કઠોર થવું પડે તો પણ હૈયું તો કોમલ જ રાખો. સાંભળનારને પણ એમ જ લાગે કે આ ‘હિત’ ને ‘કલ્યાણ’ને, ‘સારા’ ને માટે જ બોલે છે. કામ વિના વાર લેવેદેવે બહુ બોલ બોલ કરનારને લોક ‘વાયડો' ‘વાતોડિમો’ કહે છે તેમજ તેનો વિશ્વાસ પણ કરતું નથી.
|
આજે દુનિયામાં ‘પારકી પંચાત’ થી જે નુકશાન થયું છે, થઈ રહ્યું છે તે સૌના અનુભવમાં છે. નવે રસો કે ષસોને ટપી જાય તેવો ‘નિંદારસ’ સૌને ‘અમૃતના પાન’ સમાન લાગે છે અને પછી તેમાંથી જે ‘હોળી’ સળગે છે તેને બૂઝવવા ‘ફાયર બ્રીગેડ' વાળા પણ સમર્થ બનતા નથી. તેની જવાલાઓ અનેકને દઝાડે છે, કૈંકના જીવન બરબાદ કરે છે. ધેંકના સુમધુર સ્વપ્નોને બાળીને ખાખ કરે છે. જેઓ એક બીજા વિના એક ક્ષણ પણ રહી શકતા ન હતા તેઓ એક બીજાનું મોઢું જોવામાં મેં પાપ માને છે એટલું જ નહિ પણ એક બીજાનું નામ સાંભળતા ય સળગી ઊઠે છે. અને આને ‘ફેશન’ માનનારાના પગ નીચે જ્યારે રેલો આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે, પાછ પણ ન ફરી શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય છે. – માટે
|
|
k
કોઈની પણ નિંદા કરવી નહિ કે સાંભળવી પણ નહિ પરન્તુ કોઈ પણ નિંદા કરવા ‘મૂંગો’, સાંભળવા ‘બહેરાં’ અને જોવા માટે ‘આંધળા’ બનીશું - આ ગુણ જો જીવનમાં આવી જશે તો જીવન સુમધુર બની જશે. આપણી કોઈ નિંદા કરે તો આપણી મનઃસ્થિતિ કેવી થાય છે તે આપણી જાણ બહાર નથી તો પછી બીજાની નિંદા કરવાનો કે સાંભળવાનો આપણને
હરગીજ અધિકાર નથી જ.
• કારણ...કે .
કોઈપણ નજીકની વ્યક્તિ ચાહે તે મિત્ર હોય યા સંબંધી હોય કે પરિચિત હોય – તે આપણી નિંદા કરે છે એમ સાંભળવા મળે ત્યારે વિશેષ ચકાસણી કર્યા વગર જ તેના શબ્દોને ‘બ્રહ્મવાક્કા’ ‘સત્ય' માનીને આપણે ખળભળી ઊઠીએ છીએ.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
|
|
♦ પરન્તુ .
એક પળ માટે ય સ્વસ્થ બનીને આપણે એવું વિચારી શકતા નથી કે આ બધું શા માટે ? રાઈનો પહાડ કઃ વાની શી જરૂર છે ? શું આપણું મન એટલું બધું ‘કમજોર’ કે કો'ક દ્વારા બોલાયેલા શબ્દોની સત્યતા ચકાસવા જેટલી ય ‘ધીરજ’ દાખવી શકતું નથી ! બીજાઓ નુકશાન પહોંચાડે તેના કરતાં એક વધુ નુકશાન આપણે જ આપણી જાતને પહોંચાડીએ છીએ.
માણસ કોઈ કમનસીબ પળે એવું એકાદ વાક્ય બોલી ય ગયો હોય અને બોલ્યા બાદ ભૂલી ય ગયો હોય, પરન્તુ આપણું ‘વિદ્રોહી’ અને ‘ઝઘડાખોર’ માનસ કેટલી બધી ઉથલ પાથલ મચાવી દેતું હોય છે.
ન માટે વિચારો કે ઇ
કરૂણા, હૃદયની વિશાલતા, ક્ષમા અને સમત લ મન : આ બધા સચ્ચારિત્ર્યની ઈમારતના પ્રાણભૂત પાયા છે. ક્ષમા-પ્રદાનમાં જે લિજ્જત છે, અનોખી મસ્તીનો આનંદ છે, ઉલ્લાસ ઉમંગ છે તે પ્રતિશોધના સહરાના રણમાં ભટકવામાં નથી. આપણું સાચું કર્તવ્ય એ છે કે દૈનિક વ્યવહા૨મ લાલચ, દુઃખ અને ટીકાઓ સામે આપણે નૈતિક હિંમતથી ટર્ક રહીએ,
ઈર્ષ્યાવૃત્તિ અને વૈરના વમળોમાં ફસાયા વગર મનને શાંત સ્વચ્છ અને સ્વસ્થ રાખીએ. નિંદાથી બચવાનો રામબાણ ઈલાજ છે પોતાની જાતને અહર્નિશ સુધારતા રહેવાનો તૈયારી અને આત્મનિરીક્ષણ ભૂલ થાય તો તરત જ ભૂલો સાચા ભાવે સ્વીકાર અને ફરી ન થાય તેનો એકરાર કરવાની માનસિક તૈયારી. ભૂલ બતાવે તો રાતાપીળા થવાને બદલે શાંતિથી સાંભળવાની સાહજિક ‘સરલતા' બીજાન. સ્વામી ‘બોસ’ તો સહુ બને પણ પોતાની જાતનો જ જે ‘માલિક’ બને તે જ ‘મરદ !’ તે જ ધર્માત્મા ! નિંદાને ભૂલે, ભૂલોને સ્વીકારે, ‘મારી ભૂલ થઈ ગઈ’ ના પરમાર્થને પામે તે જ સાચા આત્મિક સુખ-શાંતિ અને સમાધિના પારણે ઝૂલે અને આત્મ સમૃદ્ધિમાં મહાલે ! સુજ્ઞેષુ કિં બહુના ?
******