SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ વર્ષ–૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૯-૬-૦૯ : : ૯૬૫ આજ્ઞા તે જ પ્રમાણ તેને માટે પ્રાણ પણ અપાય–તેવી તૈયારી હોય તે જ સાચે ? હું સમર્પણ ભાવ આવે. આવી દશાને પામીએ તે જ કામના. પ્રમાદને ખખેરીએ ! શાસનના શિરતાજ શ્રી ગૌતમસ્વામી મહારાજાએ મદ્ય, વિષય-કષાય, નિદ્રા છે છે અને વિકથા સ્વરૂપ પાંચે પ્રમાદે આત્માને ભયંકર નુકશાન કરનારાને માટે તેને કે ૪ ત્યાગ કરીને પ્રદર્મિકર્મમાં સમ્યક પ્રકારે ઉદ્યમ કરવાની વાત શ્રી શ્રીપાલ ચરિત્રમાં ૨ ઈ ફરમાવી છે. ખરેખર જ્યાં સુધી પ્રમાદની ભયંકરતા, અનર્થ કારિતા સમજાય નહિ ત્યાં સુધી જ ? સાચા ભાવે ધર્મ કરવાનું મન થાય છે. પ્રમાદ કેવા છે તે સૌના અનુભવમાં છે. ' ૨ પ્રમાકને નાશ કરવા ધર્મ કરવાનો છે પણ આજે હાલત સાવ વિપરીત દેખાય છે કે જે માટે ભાગ પ્રમાદની પુષ્ટિને માટે જ ધર્મ કરે છે, તે ખુબ જ દુઃખદ વાત છે. દુનિયાની છે સામગ્રીને મેળવવા ધર્મ કરો એટલે પ્રમાદના ઘરને, પ્રમાદને પુષ્ટ કરવા માટે જ છે ધર્મ કર્યો કહેવાય. પ્રમાદના કારણે તે ચૌઢપૂવી પણ નિગઢમાં જાય છે. તે આપણા જ જેવાની હાલત શું થશે–તે વિચાર આવે તે ય સારું ! અનુકુળતાનું અથાણું જ ૨ જ પ્રમાદને પુષ્ટ કરનાર છે, ખીલવનાર છે. જ્યારે આજ્ઞાનું અથાણું પ્રમાદને ભગાડ નાર છે. પ્રમાદ તે આત્માના રૌતન્યનો નાશ કરનાર છે. પ્રમાદની ક્ષણવારની મજા : આત્માને અનંતકાળની સજા કરનાર છે. પ્રમાદે આત્માની જે ખાના-ખરાબી કરી છે, ૬ ૨ ભયાનક પાયમાલી કરી છે, બરબાદી કરી છે તેને જે આત્મા જરાક જાગૃત થઈ વિચાર ) જ કરે તે કમકમા આવે તેમ છે. ભૂતકાળ ભલે પ્રમાદના ઘેરામાં, પ્રમાદની આધીનતામાં છે ગયો. હવે ભાવિકાળને બગાડવો નથી. હવે તે પ્રમાદને ખંખેરી, સદ્દધર્મમાં જ ઉદ્યમ જ 9 કરે છે. આત્મા જાગૃત બને તે પ્રમાદને ભાગે જ છુટકે છે. પ્રમાદને ઓળખી છે પ્રમાઢની આધીનતા તેડવા પ્રયત્ન કરી, સાચા ભાવે સદ્દધર્મને પામી આપણે સૌ વહેલામાં વહેલા મોક્ષે લક્ષમીના ભોક્તા બનીએ તે જ ભાવના. શાસન સમાચાર : મુબઇ શ્રીપાલનગર–અત્રે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. આ મ.ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પુણ્યદર્શન વિ. મ. વૈ. વઢ ૧૩ ગુરૂવાર તા. ૧૩–૧–૯ , ૨ સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. વઢ ૧૪ના પાલખી નીકળી. સારી સંખ્યા થઈ હતી ? છે તેમને ભીલડીયાજી તીર્થમાં પૂ. પાઠ આ. ભગવંત શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. ના વરઢ છે આ હસ્તે ૨૦૩૭માં દીક્ષા લીધી હતી. સતત અભ્યાસશીલ હતા. ૯૧ વર્ષની ઉંમરે પણ દિ કિયા આદિ અપ્રમત્ત હતા.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy