SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ .: ૨૭ છે વર્ષ ૧૧. અંક ૪૧-૪૨ તા. ૨૨–૬–૯ :. ૬ શ્રાવક-શ્રાવિકા રૂપ ચાર પ્રકારના શ્રી સંઘ છે, તે સંધ વિરાગી જ હોય. સાધુ-સાધ્વી છે વિરાગપૂર્વકને ત્યાગી છે, જ્યારે શ્રાવક-શ્રાવિકા ત્યાગી નથી પણ ઘરમાં રહ્યા છે, તે પણ છે વિરાગી છે. ઘર-પેઢી કરવા છતાં સંસારની પ્રવૃત્તિ કરવા છતાંય રાગી નથી. કેમકે તે જ જ માને છે કે, સંસારની કોઈ ચીજ રાગ કરવા જેવી નથી. રાગ થાય તે મારી જ છે ૨ નાંખે. રાગ એ જ પરમ શત્રુ છે. રાગ છે માટે શ્રેષ જીવે છે. રાગ-દ્વેષ જીવે છે, માટે ? છે ક્રોધ-માન-માયા-લોભ જીવે છે. તે ધાઢિ જીવે છે માટે મોહ જીવતા જાગત છે. આ આ રાગ નામનો શત્રુ એ છે કે મેહને ચિંતા જ ન કરવી પડે. મેહ થી ? રાજાને મેરો દીકરો રાગ છે. તે મોહ રાજાએ પોતાની રાજધાની રાગને સેપી છે જ છે અને નચિંત થઈને રહ્યો છે. રાગે જગતને રાગી બનાવી બધાને કિકર જેવા બનાવી છે છે દીધા છે. દેવા અને કાન પણ તેના સેવક બની જાય છે. માત્ર સમ્યગ્દષ્ટિ છે અને છે સમ્યગ્દર્શનના અથી આત્માએ જ સંસારમાં સારા જીવો છે કે જેઓ રાગને આધીન છે? ૬ થતા નથી. રાગને જુએ ને તેમની લાલ આંખ થાય છે. તે રાત્રે જ તેમને ઘરમાં છે બાંધી રાખ્યા છે અને પેઢી કરાવે છે. તે રાગથી છૂટવા તેઓ તક મળે ને ઝટ ભાગઆ વાનની, ગુરૂની ધર્મની ભકિત કરવા લાગી જાય છે. આ પણ ભગવાન વીતરાગ છે. કે, તેમની પર ગમે તેટલો રાગ કરીએ તે પણ તે રાગ કરે નહિ, ખુશી થાય નહિ. આ ૨ ભગતની ભકિતથી ખુશી થાય તે દેવ નહિ. ભગત પર ખુશી અને અભગત પર હેવી છે છે તે આપણુ દેવ નહિ. ' તમારે રાગથી બચવું હોય તે તમારા રાગનું સ્થાન બદલવું પડશે. આજે જ ૬. તમારો રાગ ક્યાં છે? કઈ વસ્તુ પર છે? કઈ વ્યક્તિ પર છે? તમને જે અનુકુળ હોય તમને સુખ આપવામાં જે કંઈ સાધનભૂત હય, તે પછી નિર્જીવ હોય કે સજીવ હેય, શ. છે તેના પર જ તમને રાગ છે. સગો બાપ પણ જો સુખનું સાધન ન બને, તે તેની પર પણ તમને રાગ નથી થતા. તે રાગ જ આત્માને ભયંકર આંતરશત્રુ છે. તે રાગ જ તમારી પાસે લાખો પાપ કરાવે છે, ન કરવાના કામ કરાવે છે, કઢિ સુખી રહેવા દે છે નથી, સુખે સૂવા દેતું નથી. સુખે મરવા પણ નહિ દે અને નરકાઢિ દુર્ગતિમાં ૨ખડાવનાર પણ તે છે. રાગી જીવ કહિ શાંતિમાં હોય નહિ. રાગી બધા જ દુઃખી જ હાય, આ પ્રમાણેની વિચારણા કરીને શ્રાવક સંસારના પદાર્થો પરથી પિતાનો રાગ ઉતારી વિરાગભાવને જીવંત રાખે. શ્રાવક વિરાગી હોવા છતાં રાગ થવાની સંભાવના છે છે તે પણ તેને જ્યારે જયારે રાગ થાય ત્યારે રાગને કાઢી નાંખે અને વિરાગને સાચવે છે પણ રાગને પોષવાની કઢિ મહેનત ન કરે અને વિરાગને જીવતો-જાગતો રાખે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy