SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫૭ દિ વર્ષ ૧૧ અંક ૩૧-૧૪ : તા. ૩–૧૧–૯૮ : પ્રભુને પાંચેય કલ્યાણ કે ઉજવવા દે મૃત્યુલોકમાં આવે છે. નિર્વાણ સમયે જ પ્રભુ વીરને નિર્વાણ મહોત્સવ કરવા ઇદ્રાઝિક ડે નિર્વાણ સ્થળે આવવા લાગ્યા. જ છે અંધારી અમાવાસ્યાની રાત્રિએ દેના આગમનથી સારીયે રાત્રી ઉદ્યોતવંતી બની ગઈ. સ. શ્રી ગૌતમ સ્વામી મહારાજા દેવશર્માને પ્રતિબંધી, કાર્તિક સુદ એકમની પ્રભાતે જ પરમાત્મા વીરની પાસે આવવા નીકળ્યા એ સમયે આકાશમાંથી ઉતરતાં–ચઢતાં દે ને ? કોલાહલ સાંભળતા જ શ્રી ગૌતમ સ્વામીજીએ તેનું કારણ પૂછયું. “શ્રી વરિ પરમાત્મા નિર્વાણ પામ્યા છે.” શું કહે છે? આ સાંભળતા જ શ્રી એ. ગૌતમ સ્વામી ભાંગી પડયા. હૃઢયમાં અસહ્ય આઘાત લાગ્યો. આ આઘાત વજા સમાન જ જ બને. મન પછડાટે ચઢ્યું. ચગડોળે ઘુમવા લાગ્યું. વિચારોના વમળમાં ગુંથાયેલું મન પોકારવા માંડયું, હું શું સાંભળી રહ્યો છું? શું આ હકીક્ત સાચી? પ્રભુ નિર્વાણ 2 પામ્યા? હે, ખરેખર ! પ્રભુ નિર્વાણ પામ્યા. શું આવે અવસરે પ્રભુએ મને વેગળા છે કર્યો? આ સમયે દૂર ગયેલા સ્નેહીજનોને પોતાની નજીક લાવવામાં આવે છે, ત્યારે પ્રભુ આપે નજીક રહેલા મને દૂર મોકલ્યો. મારા જેવા રાગી–પ્રેમી માટે પ્રભુ દિ આવું કેમ કર્યું. આવી પ્રવૃત્તિ કેમ કરવી પડી? શું પ્રભુ ! આપ અજાણ હતા ? શું શું પ્રભુ, આપ વ્યવહારથી પર હતા ? ના, ના, પ્રભુ! મારું મન કઈ વાતે માનતું જ નથી. કબુલ કરતું નથી કે પ્રભુ, આવું કેમ? શું પ્રભુ! મને દૂર મોકલતાં એમ વિચારેલું કે-આ ગૌતમ, મને નહી જવા ? છે કેમારી પાછળ પડશે. હઠ કરીને મારી સાથે આવશે. મારી આંગળીયે વળગશે. કાચ છે કહેશે કે જવું હોય તે જાવ, પણ કેવળજ્ઞાન આપીને જાવ. આંસુ અનરાધાર વર્ષાવીને કે બાળકની જેમ પોક મુકશે તે લોક લાજે મારે કાંઈક... હું ગમે તે ધાર્યું હોય કે ગમે તે વિચાર્યું હોય પણ અત્યંત રાગી એવા મારા છે છે જેવાને પણ પ્રભુએ દૂર કર્યો ને ઠીક નથી કર્યું. ગમે તે કહો કે ન કહો અંત સમયે જ પ્રભુએ મને છેતર્યો. અરે ! હું પ્રભુ વીરની ભૂલ કાઢું. પ્રભુએ ઠીક ન કર્યું. એમ વિચારું છું છે પરંતુ હું પોતે જ ભૂલ નથી ને! ૨ખે હું ભૂલતે હોઉં. પ્રભુ ભૂલ ન જ કરે છે વાતની તે મને ખાત્રી છે. છે અરે! હા... હા. હું જ ભૂલ્યો. હું બેટા વિચારે ચઢયો જે કર્યું તે પ્રભુએ ઈ જ સમજી વિચારીને કર્યું છે. મેં જ તે વખતે ઉપગ ન મૂકો. પ્રભુનું આયુષ્ય : જાણવા માટે મેં ઉપયોગ ન દીધે. મારી જ ભૂલ છે. પરંતુ હવે શું થાય?
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy